SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સંત.... ભાગ-૨ ૯૮ ..........મ-લક્ષ્મણને प्रच्छन्नं मांसमादेयं, त्वयावश्यमतः परम् । “આજથી આરંભીને તારે ગુપ્તપણે માંસને ગ્રહણ કરવું એ યોગ્ય છે. અર્થાત્- આજથી તું ગુપ્તપણે માંસ લાવજે અને મારા માટે પકાવજે.” સોદાસ રાજાની આજ્ઞાને પામીને રસોઈઓ ગુપ્તપણે માંસને લઈ આવવા માટે નીકળ્યો. પણ આખાએ રાજ્યમાં ‘અ-મારિ’ની ઉદ્ઘોષણા થઈ ગયેલી હોવાને કારણે કોઈપણ સ્થાને માંસને મેળવી શક્યો નહિ : કારણકે नासत्प्राप्यते क्वापि, केनाप्याकाशपुष्पवत् । “આકાશપુષ્પની જેમ અવિદ્યમાન વસ્તુ કોઈ સ્થાને કોઈપણ માણસ દ્વારા પ્રાપ્ત કરી શકાતી નથી. અર્થાત્ આકાશપુષ્પ એ અવિદ્યમાન વસ્તુ છે. એ કારણે કોઈ પણ માણસ ગમે તે સ્થળે જાય અને ગમે તેટલાં પ્રયત્નો કરે તો પણ આકાશપુષ્પને મેળવી શકતો નથી. એવી જ રીતે ‘અ-મારિ’ની ઘોષણાના પ્રતાપે આકાશપુષ્પની જેમ આખાયે રાજ્યમાં માંસ અવિદ્યમાન વસ્તુરૂપ બની ગયું હતું. એટલે રસોઈયો માંસની શોધ માટે ધ્ણુંએ ભટક્યો તે છતાં પણ, કોઈ પણ સ્થાનેથી તે માંસ મેળવી શક્યો નહીં. માંસાપ્રાપ્તિતિ ડુતો, રાનાના વાધતે ઘ મામ્ રોમિ એ કારણે એક બાજુથી ‘મને માંસની પ્રાપ્તિ નથી થઈ શકતી અને બીજી બાજુથી રાજાની આજ્ઞા માંસ લાવવા માટે મને બાધિત કરે છે, માટે હવે હું શું કરું ?’ આ પ્રકારના વિચારમાં રસોઈયો પડી ગયો. એ પ્રકારના વિચાર કરતાં રસોઈયાએ રખડતાં-રખડતાં એક મરેલા બાળકને જોયું. તે જ મરેલા બાળકના માંસને ગ્રહણ કરીને રસોઈયાએ તે-તે વિજ્ઞાનો દ્વારા તેના ઉપર સંસ્કાર કર્યો. એટલે કે હોંશિયાર એવા 09 રસોઇયાએ તે મરેલા બાળકના માંસ ઉપર પણ તે-તે જાતની ક્રિયાઓ કરીને તેને સારામાં સારી રીતે સંસ્કારિત કર્યું. અને એ રીતે તે મરેલા બાળકના માંસને સંસ્કારિત કરીને રસોઇયાએ તે માંસ સોદાસ રાજાને આપ્યું.
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy