SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સતત ભાગ-૨ ધ્રુવ વસ્તુઓ નાશ પામે છે એને અધ્રુવ તો નાશ પામેલ જ છે. આ કથનના ભોગ અવશ્ય થવું પડે છે. ૨. સાંસારિક સ્નેહની સ્થિતિ, સ્વાર્થ સરવાનો સંભવ હોય ત્યાં સુધીની જ પ્રાય: હોય છે. એ કારણે સ્વાર્થ સરવાનો સંભવ ટળી જાય ત્યારે જે ભૂંડુ કરવા કેટલીકવાર દુશ્મનો પણ તૈયાર ન થઈ ૐ શકે તે ભૂંડુ કરવા તે સ્નેહીઓ જ તૈયાર થાય છે અને તેમ કરવા માટે પોતાના તરફથી કરવા યોગ્ય સઘળું જ કરી છૂટે છે. ૩. સાંસારિક સ્નેહ કૃત્રિમ અને ભયંકર હોવાને કારણે, એનો ત્યાગ કરવામાં જ સ્વ-પરનું શ્રેય સમાયેલું છે. એ સ્નેહનો ત્યાગ ૮૪ કરતાં સ્વાર્થમગ્ન બનેલા સ્નેહીઓને ફલેશ થતો દેખાય છે પણ એ ફલેશનું ફળ સાચા ત્યાગીને સ્ટેજ પણ નથી ભોગવવું પડતું. ૪. ધર્મરાજાનું શરણ આત્માને ગમે તેવી આપત્તિમાં કે સંપત્તિમાં અનુપમ ધીરતાનો ઉપાસક બનાવે છે. એ ધીરતાના પ્રતાપે આત્મા સંપત્તિના ભોગવટામાં રસિક કે અભિમાનયુક્ત નથી થતો અને આપત્તિના ભોગવટાનો સમય આવે ત્યારે તે મૂંઝવણમાં નથી પડતો કે હાવરો નથી બનતો. ૫. ધર્મરાજાનું શરણ પામેલા આત્માઓના સ્નેહીઓ, જો તેઓમાં થોડીઘણી પણ યોગ્યતાનો આવિર્ભાવ થયો હોય તો જરૂર તેઓ એવા ઉત્તમ સ્નેહીના સંસર્ગને પામીને અનાયાસે અતકિત લાભ મેળવી શકે છે. અને પોતાના જીવનને ધર્મરાજાની સેવામાં યોજી તેની સાચી સફળતા સાધી શકે છે. રિમ-લઢમણને
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy