SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રામાયણઃ રજોહરણની ખાણ શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ પરમશ્રાવક શ્રી અહંદાસ અને શ્રી શ્રેણિક મહારાજા. ‘શ્રી સમ્યક્ત કૌમુદી' નામના ગ્રંથમાં પરમશ્રાવક શ્રી અહદ્દાસ' નામના શ્રેષ્ઠિવર્યનું દૃષ્ટાંત આવે છે. શ્રી શ્રેણિક મહારાજાએ બાર વર્ષે આવતા અને ચાતુર્માસિક પર્વના દિવસે ઉજવાતા કૌમુદી મહોત્સવ માટે નગરીમાં ઉદ્ઘોષણા કરાવી આથી નગરીમાં તેના ઉઘાપનની તૈયારી ચાલી રહી છે અને રાજાનો આદેશ હોવાથી પોતાને ત્યાં પણ તે તૈયારી ચાલતી જોઈને, તે પરમ ધર્માત્મા શ્રેષ્ઠિવર્ય વિચારે છે કે આજે સર્વ ઉત્તમ કર્મો કરવાના કારણરૂપ ચાતુર્માસિક પર્વ છે જે પર્વમાં દેવતાઓ પણ શ્રી નંદીશ્વર દ્વીપે જઈને સ્નાત્ર મહોત્સવ કરે છે. આજે વિવેકી આત્માએ સર્વ પ્રકારના આદરે કરી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવી જોઈએ અને તે પ્રમાણે કરવાનો નિયમ પણ મેં શ્રી જિનેશ્વરદેવની પાસે અંગીકાર કર્યો છે.' આ પ્રમાણે વિચારી તે શ્રેષ્ઠિવર્ય નાના પ્રકારના મણિઓના સમૂહથી શોભતા વિશાળ સુવર્ણના થાળને હસ્તમાં લઈ રાજકુળમાં ગયા અને ત્યાં રાજા પાસે તે ભેટણાને ધરી, રાજાને નમસ્કાર કરીને ઊભા રહા. એમને આમ આવીને ઊભેલા જોઈને, તરત જ શ્રેણિક મહારાજાએ એ શ્રેષ્ઠિવર્યને આવવાનું કારણ પૂછ્યું ઉત્તરમાં તે શ્રેષ્ઠિવર્ય જણાવે છે કે બૂઢેદાદાત્તમ - cc citવમ્ ? यन नन्दीश्वरे यानां, सुपर्वाणोऽपि कुर्वते ॥१॥ મયાવિ શ્રીમહાવીર-નિના જaહે પુરા ? समग्रपुरचैत्त्यानां, विधिना पूजनव्रतम् ॥२॥ સાદૂન વિશ્વધૂનાં, વન્દ્રનામહસ્તથા ? समं स्वीयकुटुम्बेन, सर्वेणाऽमुष्य वासरे ॥३॥ रानावेकन चैत्ये तु, कृत्वा पूजां जगद्गुरोः । aftત નૃત્યાફિd docર્ય, વાર્યમિત્યસ્તિ મે વિમો . રર૪ ૪ aૌમુઢમહનિર્મળ, વઢાશો નરેડદુના ?
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy