SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ - જૈન રામાયણ ર૪૪ છે. જે રજોહરણની ખાણ ‘પરમતારક શ્રી જિનેશ્વરદેવની જ્ઞય, હેય અને ઉપાદેયનો સમ્યક પ્રકારે વિવેક કરાવતી જે સર્વશ્રેષ્ઠ આજ્ઞા તે જ સર્વસ્વ' આ હોય છે. આ આદર્શના પાલનમાં જ સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાના જીવનની સાર્થકતા જોઈ શકે છે. એ સિવાયની કોઈપણ કાર્યવાહી તે આત્માઓને રૂચિકર નથી નીવડતી. આ જ એક સમ્યગ્દષ્ટિ આત્માઓની વિશિષ્ટતા છે અને એ જ વિશિષ્ટતાના યોગે તે આત્માઓ-વિશ્વથી વિશિષ્ટ તરીકે ઓળખાય છે. એ વિશિષ્ટતાના પ્રતાપે જ તે આત્માઓ આચરવા પડતા પાપને નિરૂપાયે જ આચરે છે અને એથી પાપાચરણાઓને આચરવા છતાંપણ, પોતાના આત્માને નિર્મળ રાખી શકે છે તથા બંધનોથી ગાઢપણે બંધાતા નથી. હવે આપણે જોઈએ કે શ્રીમતી અંજનાસુંદરી પોતાના ઉપર ભયંકર અન્યાય ગુજરવા છતાં પણ પોતાના મહાસતીપણાના આદર્શની ઉપાસના કરી રહી છે, તે અરસામાં એક દિવસે રાક્ષસદ્વીપના રાજા શ્રી રાવણનો દૂત આવ્યો અને આવીને તેણે શ્રી પ્રદ્ઘાદ રાજા પ્રત્યે પોતાની ભાષામાં કહેવા માંડ્યું કે “પ્રણિપાતનો સ્વીકાર નહિ કરતો, અર્થાત્ આજ્ઞા માનવાનો ઈન્કાર કરતો દુર્મતિ “યાદોનાથ' આજકાલ રાક્ષસોના સ્વામી મહારાજા શ્રી રાવણ સાથે નિરંતર વેર ધરાવ્યા કરે છે અર્થાત્ વેરી જેવી આચરણા કરે છે. જયારે આજ્ઞા માનવાનું તે દુર્મતિને કહેવામાં આવે છે, ત્યારે અહંકારે કરીને પર્વતસમો અને યદ્વા-તા બોલનાર તે પોતાની ચક્ષુદ્વારા પોતાના ભુજા દંડોને જોતો કહે છે કે - અરે વો રાવળો નાહ્મ, તેન લઉં નાનુ સિદ્ધતિ છે નાહિમિન્દ્રઃ વેરો વા, ન ઘાગ્નિ નનqqવર: ??” "सहस्ररश्मि प्यस्मि, न मरुतो न वा यमः । ન તૈનાસશૈનડ, (deત્વરિત્ર વળી નનું ૨૪?”
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy