SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યો ! અને ત્રણે અબળાઓના પ્રાણ લેવાની આચરણા કરવા તૈયાર થઈ જાય છે ! વિચારો, આ કેવી પરાધીન અવસ્થા છે ! ‘પોતે કોણ છે અને ક્યાં છે ?" એનું પણ આવેશમાં આવેલા પવનંજયને ભાન નથી ! કામી અવસ્થામાં જેમ અંનાને જોવા માટે વિવેકહીન બન્યો હતો, તેમ અત્યારે ક્રોધાવસ્થામાં વિવેકહીન બને છે ! અને ત્રણે અબળાઓના પ્રાણ લેવાની આચરણા કરવા તૈયાર થઈ જાય છે ! ખરેખર, આવેશને આધીન થયેલા આત્માની દશા જ ભયંકર હોય છે ! . આવેશને વશ થયેલો આત્મા પોતાના કિવા પરના હિતાહિતને કોઈપણ રીતે વિચારી શકતો નથી, એજ કારણે જેને જોવા માટે પવનંજય જે મકાનમાં ગુપ્ત રીતે આવેલ છે, તેને જ મારવા માટે તે જમકાનમાં તે પ્રગટ થઈને ચાલવા લાગે છે. ! આ રીતે ચાલવાનો આરંભ કરતા તેને હાથરૂપ દંડમાં પકડી રાખતા અને ‘‘સાવરાધાવ્યવથૈવ, સ્ત્રી ગૌરવ ન વેલ્સ ક્િ’ અપરાધને કરનારી એવી પણ સ્ત્રી ગાયની જેમ અવધ્ય જ છે, એમ શું તું નથી જાણતો ?" આ પ્રકારે બોલતા પ્રહસિતે કહ્યું કે ‘વં પુનનિરવો-દોયમંનસુંદરી તથાપવાહિની નૈષા, નિષેધતિ પુનસ્ટ્રિયા 5'' “આ અંજનાસુંદરી તો અપરાધ રહિત જ છે, એને માટે તો કહેવાનું પણ શું હોય ? એટલે કે અપરાધવાળી સ્ત્રી પણ વધ કરવા યોગ્ય નથી, તો આ અપરાધ વિનાની અંજનાસુંદરી તો વધ કરવા લાયક હોય જ કેમ? તને એમ લાગતું હોય કે – ‘આ રીતે બોલતી સખીને તે રોકતી નથી એ જ જો અંનાનો અપરાધ છે' તો તારે સમજવું જોઈએ કે, એ અંજ્ઞાનો અપરાધ નથી કારણકે તેવી રીતે અપવાદ, એટલે કે તારી નિંદાને કરતી પોતાની સખીને ૨૩૭ રાક્ષશવંશ અને વાનરવંશ ક્રૂર કર્મની મશ્કરીઃપનંજય અને અંજના...૭
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy