SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પોતે જેની સાથે પરણવાનો છે તે સુંદરી કેવી છે, એ જાણવાને અધીરો બનેલો પવનંજય પોતાના મિત્ર પ્રહસિતને પ્રશ્ન કરે છે કે ‘‘દૃષ્ટાતિ વિં ત્વયા ઘૂઢિ, ીદૃશ્યનનસુંદરી !'' “હે મિત્ર શું અંજનાસુંદરીને તે જોઈ છે ? જો જોઈ છે તો અે કે તે અંજનાસુંદરી ક્વી છે ?” આ ઉપરથી સમજી શકાશે કે વિષયાધીન આત્માની વિશ્વલતા કેવી અને કેટલી ભયંકર છે ! તેમજ એ પણ કલ્પી શકાય તેમ છે કે વિષયાધીન આત્મા પોતાના મન ઉપર જોઈતો કાબૂ કદી જ ધરાવી શક્તો નથી. અન્યથા, આવા પ્રશ્નની ઉત્પત્તિ સંભવતી જ નથી. આ પ્રશ્ન જ વિષયાધીનતાને ઉઘાડી પાડનાર છે, પણ સમાન સ્વભાવના આત્માઓને આવા પ્રશ્નો એવું ભાન કરાવી શકતા નથી, એટલું જ નહિ, પણ એવા પ્રશ્નો તેઓ વિનોદનું સાધન માની લે છે. અને એથી એવા પ્રશ્નોના ઉત્તરોમાં તેઓ વિલાસભાવનાનું સામ્રાજ્ય પ્રસરાવી દઈને પ્રશ્ન કરનારને વધુ વિહ્વળ બનાવી દે છે, કારણ કે એવા સ્વભાવના આત્માઓ તો એમાં જ પોતાની મિત્રતાની સાર્થકતા ક્લ્પ છે. અને તેજ રીતે પોતાની મિત્રતાની સાર્થકતા કલ્પતો હોય તેમ પ્રહસિત પણ પવનંજયના એ પ્રશ્નના ઉત્તરમાં સ્હેજ હસીને કહે છે કે “हसित्वेषत्प्रहसितो -ऽप्येवमूचे मयेक्षिता સા દૃઢ રંહ્માદ્દિશ્યોડાવ, સુર્યનનનુંજરી ૧ तस्या निरुपमं रुपं, यादृशं दृश्यते दृशा । તાદૃશ વઘસા વ, વામનાપિ ન શ−તે ૨’ “હે મિત્ર ! શ્રીમતી અંજનાસુંદરીને મેં ઘણી જ સારી રીતે જોઈ છે અને એના આધારે હું કહું છું કે ખરેખર, તે શ્રીમતી અંજનાસુંદરી રંભાદિક અપ્સરાઓ કરતાં પણ અધિક સુંદર છે : અર્થાત્ શ્રીમતી અંજનાસુંદરીના સૌંદર્ય આગળ રંભાદિક અપ્સરાઓનું સૌંદર્ય પણ કાંઈ હિસાબમાં નથી.” આથી હું કહું છું કે ૨૩૧ રાક્ષશવંશ અને વાનરવંશ ܐ ક્રૂર કર્મની મશ્કરી:પવનંજય અને અંજના...૭
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy