SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રામાયણઃ રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ જોહરણની ખાણ ૨૦૬ આત્માને પાપના અખતરાઓને રસપૂર્વક કરવાની કે કરાવવાની બુદ્ધિ ઉત્પન્ન કેમ જ થાય અને પરમતારક પરમષિઓ પ્રત્યે અને તે પરમષિઓએ પ્રણીત કરેલા માર્ગ પ્રત્યે અરોચકતા કેમ જ પેઘ થાય તથા વધુમાં એ અરોચતાના કારણે મહાપુરુષોને નીંદવા અને નીંદાવવા જેવી દુષ્ટ બુદ્ધિ પણ કેમ જ થાય ? શ્રી રાવણનો આત્મા તો સમ્યગદર્શનથી વિભૂષિત હતો અને એ જ કારણે જે સમયે જેવો જોઈએ તેવો વિવેક તે આત્માને પેદા થતો જોવાય છે. એ જ વિવેકશીલતાના પ્રતાપે શ્રી રાવણ અનેક પ્રસંગોમાં પોતાની વ્યાજબી ફરજો અદા કરી શક્યા છે અને આ ‘ઉપરંભાના પ્રસંગમાં પણ તેવી જ રીતે ફરજ અદા કરી અને ઉપરંભાને એક પણ અક્ષર બોલવા જેવી સ્થિતિમાં ન રાખી, કારણકે એકદમ પોતાના ગુરુપદે જ સ્થાપી દીધી. આથી સ્તબ્ધ બની ગયેલી તેણીને છેવટે શ્રી રાવણે કહયું કે 9મી વમિધ્વનચા, સુર્યુઃસંમવા ? कुलदयविरुद्धायाः, कलंको मा स्म भूस्तव ११३॥" “હે ભદ્રે ! તું રાજા કામધ્વજની પુત્રી છે અને સુંદરીના ઉદરથી ઉત્પન્ન થયેલી છે, માટે બંને કુળથી વિરુદ્ધ આચરણ કરતી તને કલંક ન લાગો.' અર્થાત્ આવી આચરણા કરવી એ બંને કુળથી વિરુદ્ધ છે, માટે તારા જેવીએ એ બંને કુળને કલંક લાગે એવી કાર્યવાહી કરવી, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. આ રીતે સમજાવીને, રોષ કરીને પિતાને ઘેર આવેલી પુત્રીને જેમ પિતા તેના પતિને ઘેર મોકલી આપે, તેમ શ્રી રાવણે પણ અદૂષિત એવી તે ‘ઉપરંભાને તેના પતિ નલકુબેર રાજાને સમર્પી. આ જ પ્રકારે ઉત્તમ આત્માઓ પોતાની બુદ્ધિના બળે અગર વાણીના બળે પોતે પાપકર્મમાંથી બચી જાય છે અને પાપની આચરણા કરવા માટે સજ્જ થયેલ સામાના આત્માને પણ બચાવી લે છે. પણ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy