SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો ‘શ્રી નારદ નામના દેવર્ષિ'નો પોકાર ત્યાર પછી શ્રી રાવણે પણ શ્રી શતબાહુ અને શ્રી સહસ્ત્રાંશુ નામના બંને મુનિવરોને વંદન કરીને, અને ‘શ્રી સહસ્ત્રાંશુ રાજાના પુત્રને તેના પિતાના રાજ્ય ઉપર સ્થાપન કરીને, પોતે આકાશમાર્ગે ચાલવા માંડ્યું. શ્રી રાવણે જે સમયે આકાશમાર્ગે પ્રયાણ કર્યું. તે જ સમયે લાકડીઓના ઘાત આદિથી જર્જરિત થયેલા ‘શ્રી નારદમુનિ અન્યાય- અન્યાય' એ પ્રમાણે પોકાર કરતા-કરતા આવ્યા અને શ્રી રાવણને કહેવા લાગ્યા કે ‘હે રાજન્ ! આ ‘રાજપુર' નામના નગરમાં દુષ્ટ બ્રાહ્મણોથી વાસિત થયેલો, એટલે દુષ્ટ બ્રાહ્મણોના ઉપદેશ મુજબ ચાલનારો, યજ્ઞને કરતો અને મિથ્યાદષ્ટિ ‘મરુત' નામનો રાજા છે. તે રાજાના ચંડાળ જેવા બ્રાહ્મણોએ યજ્ઞમાં વધ કરવા માટે આણેલાં નિરપરાધી પશુઓ મેં પાશથી બંધાયેલાં અને બૂમ પાડતાં જોયાં તે કારણથી આકાશમાંથી ઉતરીને કૃપામાં તત્પર એવા મેં બ્રાહ્મણોથી વીંટાયેલા મરુત' રાજાને 'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો..૫ પૂછ્યું કે આ તે શું આરંભ્ય છે?' આ પ્રશ્નના ઉત્તરમાં મસ્ત રાજાએ પણ , કહ્યું કે ૧૪૩ રાક્ષશવંશ ' અને વાનવંશ *
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy