SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપુરુષો યુદ્ધભૂમિને પણ એક જ ક્ષણમાં ધર્મભૂમિ બનાવી શકે છે. હવે શ્રી વાલીમહારાજા આ યુદ્ધભૂમિને ધર્મભૂમિ કેવી રીતે બનાવે છે અને શ્રીરાવણ પ્રત્યે કહે છે કે वीतरागं सर्वविद माप्तं मैलोक्यपूजितम् । - विनार्हतं न मे कश्चिन्नमस्योऽस्ति कदाचन 'વીતરાગ, સર્વજ્ઞ, આપ્ત અને ત્રણે લોકથી પૂજિત એવા શ્રી અરિહંતદેવ વિના મારે કોઈ કદી નમસ્કાર કરવા યોગ્ય નથી.' ܐ ܐ ܐ ܐ ܐ સમ્યગ્દષ્ટિ આત્માનો કેવો શુદ્ધ નિશ્ચય હોય છે, એ વિચારજો ! શ્રી અરિહંતદેવને ગ્રહણ કરવાથી શ્રી અરિહંતદેવની આજ્ઞામાં વિચરતા નિગ્રંથો અને ધર્મી તરીકે તેમના અનુયાયીઓ પણ નમસ્કાર્યની કોટિમાં આવી જ જાય છે. આ સિવાયના કોઈને પણ નમસ્કાર નહિ કરવાનો નિશ્ચય ત્યારે જ થઈ શકે છે કે જ્યારે સંસારની સઘળી કામનાઓ ઉપર અંકુશ મૂકાય. સંસારની કામનાથી ઘેરાયેલા આત્માઓ તો ગમે તેના પણ ચરણને ચાટવા તૈયાર હોય છે. ઉપરના પોતાના દૃઢ નિશ્ચયને શ્રી વાલીમહારાજાએ પ્રથમ જ શ્રી રાવણને તેના જ દૂત દ્વારા જણાવી દીધો હતો, છતાં અભિમાનના યોગે નમસ્કાર કરાવવા ઇચ્છતા શ્રી રાવણને શ્રી વાલીમહારાજા કહે છે કે ‘મંગોચિતં દ્વિષાં તં, ધમાન યેનમોહિતઃ । ડુમામવસ્થાં પ્રાપ્તોસિ,મસ્રનામ જૂહની રો’’ ‘ધિક્કાર છે તમારા અંગમાં ઉત્પન્ન થયેલા તે માનરૂપી શત્રુને, કે જેનાથી મોહિત થયેલા તમે મારા પ્રણામનો કુતૂહલી બની આ અવસ્થાને પામ્યા છો.' શ્રી વાલીમહારાજા માનની દશાનું કેવું આબાદ વર્ણન કરી રહ્યા છે ! ખરેખર, માન એ એક એવી ભયંકર વસ્તુ છે કે જેના યોગે શ્રી રાવણ જેવા ભાગ્યશાળી આત્મા પણ વિષમદશાને પામ્યા ! પણ અહીં ૯૯ રાક્ષશવંશ અને વાનરવંશ શ્રી રાવણ અને ધર્મભાવ...૪
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy