SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તે બન્નેની પરીક્ષા માટે એક સમસ્યા પદ આપે છે. તે આ પ્રમાણે - પુષ્ટિ નમઃ ! તે પ્રસંગે અત્યંત અભિમાની અને ઉછાંછળા સ્વભાવવાળી સુરસુંદરીએ કહ્યું. ઘણgવા સુષ્ય પણ રઢિયનિય मणवल्लह मेलावडु पुण्णेहि लब्भइ एह । એ પ્રમાણે સાંભળી રાજા અને સકલ પ્રજા એ ચાર વિદ્યા નિધાન છે એમ સુર સુંદરીની તથાતેના ગુરુની પ્રસંશા કરી ત્યાર બાદ રાજાની આજ્ઞા થી મયણાસુંદરી એ પણ પાદપૂર્તિ કરી આપ્રમાણે विणय, विवेक, पसन्नमण, सील सुनिम्मल देह परमप्पह मेलावडु પુહિં તમઃ . આ સાંભળી રૂપસુંદરી અને સુબુદ્ધિ ઉપાધ્યાય ખુશ થયા પરંતુ અન્ય રાજા વગેરે ખુશ થયા નહિ. | કુરુ દેશમાં આવેલ શંખપુરીના રાજા દમિતારી દરવર્ષે અવંતિપતિની સેવા માટે આવતા હતા. આ વર્ષે તેઓનાં સ્થાને તેમનો પુત્ર અરિદમન નામનો રાજકુમાર ત્યાં આવેલ હતો. તે સમયે સુરસુંદરી તેનું સુંદર રુપ જોઈ વારંવાર કટાક્ષબાણ ફેકતી હતી. તે જોઈ રાજાયે તેનીજ અનુરાગિણી જાણી પૂછ્યું તારે કેવો વર જોઈ આ સભામાં તેને કોઈ ગમે છે ? ત્યારે તેણીએ તુર્ત જ કહ્યું કે આપ જો ખુશી હો તો અરિદમન કુમાર હો! રાજાએ પણ તેનો સ્વીકાર કર્યો.. નગરજોએ પણ તે સંબંધ વખાણ્યો. ત્યારબાદ રાજાએ મયણાસુંદરીને વર માટે પૂછ્યું, ત્યારે લજાયુક્ત અને વિવેકી એવી તેણી કાંઈ બોલતી નથી. રાજાએ વારંવાર પૂછયું ત્યારે કહ્યું, પિતાજી ! મને લજ્જાકારી એવું આપ વિવેકી હોવા છતાં શા માટે પૂછો છો ? કુલબાળા માટે આ ઉચિત નથી, પિતા જેને આપે છે તેને જ તે વરે છે. તેમાં પણ વર પ્રદાનમાં પિતા તો નિમિત્ત માત્ર છે. બાકી સહુનાં કર્મને અનુસારે યોગ્ય કે અયોગ્ય મળે છે. પુણ્યવાન ગરીબને ત્યાં પણ સુખી થાય છે. નિષ્પષ્યા સુખી કુટુંબમાં પણ દુઃખી થાય છે. માટે કોઈ એમ માનતું હોય કે હું સુખી કરું છું હું દુઃખી કરું છું તો તે મિથ્યાભિમાન છે તમો પણ પુણ્યવાન આત્મા પર તુષ્ટ થાઓ છો, અને પુણ્યહીન પર નારાજ થાઓ છો. આ પ્રમાણે મયણાસુંદરીનાં વચન સાંભળી ગુસ્સે થએલાં રાજાએ કહ્યું 20)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy