________________
મુનિ વિણ સર્વે ક્રિયા નવિ સૂઝે, તીર્થ સકલ સુખદાઈ રે-તે મુનિ...૬ - પદ પાંચમ ઈણીપરે ધ્યાવો, પંચમી ગતિને સાધો રે, સુખી કરજો શાસનનાયક, જ્ઞાનવિમલ ગુણ વાધો રે-તે મુનિ.૭
(૧૯) રાગ : સ્નેહી સંત એ ગિરિ સેવો. સમતા સુખનો જે ભોગી, અષ્ટાંગ ધરણ જે જોગી, સદાનંદ રહે જે અસોગી, શ્રદ્ધાનંત જે શુદ્ધોપયોગી, ભવિજન એહવા મુનિ વંદો, એથી ટલે દુઃખ દંદો,
જે સમકિત સુરતરુ કંદો. ભવિ.. ૧ જ્ઞાનામૃત જે રસ ચાખે, જિન આણા હિયડે રાખે, સાવધ વચન નવિ ભાખે, ભાડુ જિનજીનું ભાખે.. ભવિ.. ૨
આહાર લીયે નિર્દોષ, ન ધરે મન રાગ ને રોષ, ન કરે વલી ઈન્દ્રિય પોષ, ન ચિકિત્રે ન જુએ જોષ.. ભવિ... ૩
બાહ્માંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જિનમત રાગી, જસ શિવરમણી રઢ લાગી, વિનયી ગુણવંત વૈરાગી... ભવિ. ૪
મદ આઠ તણા મન ગાળે, એક ઠામે રહે વરસાવે, પંચાચાર તે શુદ્ધ પાળે, વલી જિનશાસન અજુઆળે.. ભવિ. ૫
પંચાશ્રવ પાપ નિરોધ, જ્ઞાન-દર્શન-ચારિત્ર શોધે, નવિ રાચે તે કોપી ક્રોધે, ઉપગાર ભણી ભવિ બોધે. ભવિ.. ૬
ભિક્ષા લે ભ્રમર પરે ભમતા, મનમાં ન ધરે કોઈ મમતા, રાગ-દ્વેષ સુભટને દમતા, રહે જ્ઞાન ઓગાનમાં રમતા.. ભવિ. ૭
સુધા પચે વ્રત વહેતા, ઉપશમ ધરી પરિષહ સહતા, વલી મોહ ગહનવન દહતા, વિચરે ગુરુ આણાએ રહેતા. ભવિ... ૮
જે જ્ઞાન-કિયા ગુણ પાત્ર, અણ દીધું ન લે તૃણ માત્ર, સદા શીલે સોહાવે ગાત્ર, જાણે જંગમ તીરથ જાત્ર.. ભવિ... ૯
દયા પાલે વીશવાવીશ, ધરે ધ્યાન ધર્મ નિશદિશ, જગજંતુ તણા જે ઈશ, જસ ઈન્દ્ર નમાવે શિષ. ભવિ. ૧૦
કોધ-લોભાભિમાન ને માયા, તજીયા જેણે ચાર કષાયા, બુધ ખીમાવિજય ગુરુરાયા, શિષ્ય જિનવિજય ગુણગાયા... ભવિ... ૧૧
-188