SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર તે ઉદ્યાનપાલકને સાડા તેર લાખ સોનામહોરે વધામણીમાં આપશે, ચતુરંગીસેના, અંતઃપુર, અમાત્ય,સામન્તાદિ સહિત રાજા જલ્દીથી ત્યાં આવી, પ્રભુને ભક્તિથી નમસ્કાર કરશે, શકસ્તવથી પ્રભુની સ્તુતિ કરશે, ફરીથી શકેન્દ્રની સાથે પ્રભુની સ્તુતિ કરતાં કહેશે કે હે નાથ ! આપે પ્રથમ સમસ્ત જગતનું અર્થ પ્રાપ્ત કરીને દુઃખ દૂર કર્યું અને સુખ આપ્યું, પણ હવે તે અન્ધકાર સમુહને વિનાશ કરવામાં આપ અસ્નેહપુર નવીન દીપક સમાન છે. તારક શ્રેણીને બતાવી અરૂણોદયને મૂકતા આપલેકેના ઉત્તર દક્ષિણથી વિલક્ષણ નેત્ર સમાન છે, આપ શ્રી નવીનદેવ અને પૃથ્વી ઉપર અભિનવ રત્નકેશ સમાન છે. હે ગીન્દ્ર! આપની આ કલા વિચિત્ર છે. કે જે જીવ જીતેન્દ્રિયત્ન ધારણ કરી યેગી બનતે નથી છતાં પણ મુક્તિ પુરીને પ્રાપ્ત કરે છે. હે દેવ ! આપના ઉપદેશ રૂપી અમૃત પાન કરવાથી પ્રાણ અનાદિકાળને દુષ્કર્મ રિગોથી મૂક્ત થાય છે. હે નાથ ! આપનું દર્શન મને પરમાનન્દની પ્રાપ્તિ કરાવનારું છે. તે પછી હું આપની પાસે કઈ માગણી કરું? આપ નામથી અને મહિમાથી પણ “અમમ” છે, તે પણ હે કરૂણાસાગર ! અનાથ એવા મારા ઉપર આપ અવશ્ય કૃપા દ્રષ્ટિ રાખજે, આ સ્તુતિ કરીને જ્યારે ઈન્દ્ર તથા શતદ્વારાધીશ પિતપોતાના સ્થાને બેસી જશે ત્યારે આખી સભા પ્રભુની દેશનાનું શ્રવણ કરવા ઉકઠિત થશે
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy