SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આધારથી વરસાદના દુઃખથી મુનિશ્વર મુકત થયા, “ધન્યનું હૃદય ભાવ છત્રથી ઢંકાઈને પાપવૃષ્ટિ રૂપ દુઃખથી મુકત બન્યું. | મેઘવૃષ્ટિથી અને મહામુનિ ધ્યાન દ્રષ્ટિથી મુકત થયા નહેતા, વળી છત્ર સૃષ્ટિથી “ધન્ય, પણ સેવા કરતા અટકે નહીં. સાત સાત દિવસ સુધી અનરાધાર વરસીને વરસાદ થાક. પૂર્વ દિશામાં આછા આછા કીરણથી. સૂર્ય પિતાની સ્વારી લઈને આવી રહ્યો હતે, વરસાદના થાકવાથી અને સૂર્યના આગમનથી ભૂમંડળના માનવીઓ હર્ષોન્મત્ત બન્યા હતા. મહામુનિ પણ વરસાદના અટકવાથી ધ્યાન મુકત બન્યા. ધ્યાનમુક્ત થયેલા મહામુનિના ચરણમાં “ધન્ય, ભરવાડે નમસ્કાર કર્યો. અને પૂછ્યું કે હે મહામુનિ ! આપ ક્યાંથી આવે છે? અને ક્યાં જવાની ભાવના રાખે છે ? ત્યારે મુનિએ કહ્યું કે હું ગુરૂમહારાજની પાસે લંકા જવા નીકળે છું, પરંતુ વર્ષાને કારણે હવે જઈ શકાય તેમ નથી. માટે હું અહિંયા સ્થિર થયે છું. વરસાદના કારણથી સાધુઓ ગમનાગમન કરી શક્તા નથી કારણ કે તેમાં શાસ્ત્રને નિષેધ છે. માટે જ્યાં સુધી વરસાદ અટકે નહી. ત્યાં સુધી અહીયાં જ સ્થિર ધ્યાનસ્થ રહેવાને મેં નિશ્ચય કર્યો હતે. આજે તારે અને મારો અભિગ્રહ પૂર્ણ થયે છે. માટે હે વત્સ! હું પણ કેઈક ગામમાં જાઉં છું ત્યારે
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy