SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨CS અને નવ્યાશી પખવાડીઆમાં કાંઈક ન્યૂન આ આરામાં ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થયા છે. દુષમા સુષમા નામને થે આરે એક કેડાછેડી સાગરેપમમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછી કાલસ્થિતિવાળા હોય છે. તે આરામાં કલ્પવૃક્ષને વિચ્છેદ થવાથી લેકે પકાવેલું અનાજ ખાય છે. અજીતનાથ પ્રભુથી માંડીને મહાવીરસ્વામિ સુધીના ત્રેવીસ તીર્થંકર પરમાત્મા આ આરામાં થાય છે. તેઓના સમયમાં ચક્રવતિ-વાસુદેવ-પ્રતિવાસુદેવ–અને બલદેવ પણ થાય છે. ત્રણ વર્ષમાં સાડા આઠ માસ બાકી ચોથા આરામાં છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામિ મુક્તિએ ગયા છે. જગતના જીવના શરણરૂપ અંતિમ સમવસરણમાં પુણ્યપાલ રાજાએ વિર ભગવંતને પ્રશ્ન કર્યો કે હે પ્રભે ? મેં આઠ સ્વપ્ન જોયાં છે. તેનાં નામ આપને કહું છું, (૧) જુની શાળામાં હાથી દેખે, (૨) વાંદરાને ચંચળ ચેષ્ટા કરતે જે, (૩) ક્ષીર વૃક્ષને કાંટા જોયા, (૪) કાગડે ભરેલા સરોવરને છેડી અલ્પ જળમાં સ્નાન કરતે જે, (૫) સિંહના મૃતકને જોઈ બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહી. તે પ્રમાણે બીજા જનાવરને ભળતાં જોયા, (૬) ઉકરડામાં ઉગતું કમળ જોયું,(૭) ઉખર ભૂમિમાં કૃષિને બીજે વાવતે જોયે, (૮) સેનાને કુંભ મલીન અને ભાંગેલે જે, આ પ્રમાણે હે પ્રભે મેં આઠ સ્વપ્ન જોયાં છે. તે આપ કૃપા કરીને મને તેનું ફળ કહેશો.
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy