SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ લઈ બલરામ તથા કૃષ્ણની પાછળ તેઓને પકડવા માટે દેડયા. તે બનેને આવતા જોઈ રુકિમણી ગભરાઈ ગઈ. શ્રી કૃષ્ણને તેણુએ કહ્યું કે મહા બલવાન સૈન્યની સાથે રૂકિમ અને શિશુપાલ” આવી રહ્યા છે. તેઓ મહાબલીષ્ટ છે, જ્યારે આપતે ફક્ત બે જણા જ છે, માટે મારું હૃદય કંપે છે. શ્રીકૃષ્ણ હસીને કહ્યું કે ભદ્રે ! ગભરાઈશ નહી. શું ક્ષત્રિય કદાપિ ડરતા હશે ખરા કે? મારી સામે યુદ્ધમાં આ બંને જણા તથા તેમના સિન્યની કમત કાંઈ જ નથી ! તારે મારું બલ જેવું હોય તે તું જોઈ લે એમ કહીને બાણ દ્વારા એ સિ ઉપર મારે ચલાવ્યું, જયારે બીજી બાજુ બલરામે યુદ્ધને ચાલુ રાખી, શ્રીકૃષ્ણને દ્વારિકા નગરી પહોંચી જવા માટે કહ્યું. તે વારે રુકિમણીની વિનંતિથી શ્રીકૃષ્ણ બલરામને કહ્યું કે કઈ પણ સંજોગોમાં રૂઝિમરાજાના પ્રાણ બચાવી લેજે, કૃષ્ણના ગયા બાદ બલરામ પવનવેગ નામના રથ ઉપર બેસીને મુશલના ઘાતથી શત્રુ સૈન્યને મારવા લાગ્યા, લાખે સિનિક અને રૂકિમ રાજાની સેનાએ સહિત યુદ્ધના મેદાનમાંથી શિશુપાલ ભાગી ગયે. , મદમસ્ત રૂકિમ એકલે અજય દ્ધાની જેમ યુદ્ધના મેદાનમાં ઉભે રહી કહેવા લાગ્યો કે હે વાળ? આ મારું બાણ તારું માથું કાપી નાખશે, બલરામે શ્રીકૃષ્ણના શબ્દને યાદ કરી, મુશલ છેડી બાણ વડે તેના ઘોડાને –૧૦
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy