SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ધારણ કરતો ઘેર ગયો, જલદીથી સૂઈ ગયો, સૂતા સૂતા ઉંઘ આવતી નથી. અને મુનિશ્વરની ચિંતામાં તેનું મન રહેલું છે. “મને તે અહીં ખાટલો, દડી, રજાઈ, સ્ત્રીઆલિંગન, અગ્નિ, અને ચોતરફથી બંધ એવું મકાન હોવા છતાં સખ્ત ઠંડીથી શરીર થજી ઉઠે છે, તે પછી જલપ્રવાહથી યુક્ત સખ્ત ઠંડીમાં ઉભા રહેલા વૃક્ષની જેમ તે મુનિશ્વરને કેમ હશે ? જેમ જેમ રાત વધતી જાય છે. તેમ તેમ ટાઢ પણ પોતાની માઝા મૂકે છે. “નન્દક, પણ મુનિશ્વરના વિચારો કરતો ખાટલામાં પડયો છે. * મનરૂપ સગડીમાં સળગતા ધ્યાનાગ્નિમાં ઉપાસના કરતાં તે સંયમીની પાસે ટાઢ કેમ કરીને જાય? અરે ! મારા પુણ્યને પરિપાક અભૂત છે. કેમકે મેં મત્સ્ય હિંસા રૂપ પાપમાં કારણભૂત “જાળ, ને ધર્મનું ઉપકરણ બનાવ્યું, માછીમારને મોડી રાતે ઉંઘ આવી અને સ્વપ્નમાં મુનિશ્વરને સખ્ત ઠંડીમાં નદી કીનારે સ્થિર રહેલા મુનિને જોયા, અને” તે કેમ હશે, એવી વિચારણા કરી. તે નન્દક માછીમાર પ્રાતઃ-કાળ થતા પહેલા માછલી લાવવાને માટે મુનિશ્વર રૂપી અલકારથી શેભતી ગંગા નદીના કિનારે ગયો. વિચારમાં અને વિચારમાં ઘણા સમય સુધી ઘડીકમાં મુનિશ્વર તરફ, તે ઘડીમાં નદીમાં રમતી માછલીઓ તરફ જેતે નદી કીનારે બેસી રહ્યો. ઉદયાચલથી ઉષારાણી સૂર્યોદયના વધામણું આપવા ગગનના ગેખે આવ્યા. અને અવનિના આત્માને કર્તવ્ય પરાયણતાના સમાચાર આપ્યો. ઘેડીક
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy