SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પિતાના જિર્ણ થયેલા મકાનને પણ પિતે ઓળખી ન શ, ઘણા દિવસો બાદ ઘર પાસે આવવાથી પિતે પિતાને બ્રાન્તિમાં છે તેમ માનીને અજાણ માણસની જેમ કે એક ભદ્રપુરૂષને પૂછયું કે આ ઘર કેવું છે? તે પુરુષે હસતાં હસતાં કહ્યું કે મૂખ! તું શું પરદેશી છે! શું તું નથી જાણતા કે વિશ્વવિખ્યાત ભાનુશ્રેષ્ટિનું આ મંદિર છે? ચારૂદત્ત મૌન રહ્યો. તે વારે ભદ્રપુરૂષે કહ્યું કે હે સૌમ્ય ! તું સાંભળ, ભાનુશ્રેષ્ઠિને કુલાંગાર ચારૂદત્ત નામે પુત્ર હતો. વેશ્યાના ઘેર રહીને બાર વર્ષોમાં સેલ કરેડ સેનૈયાનો ઉપભેગ કર્યો, તે પાપીને ખબર પણ નથી કે મારા કુટુંબનું કે મારા ઘરનું શું થયું હશે. તેનું નામ લેવું તે પણ - પાપ છે. આમ કહીને તે માણસ ચાલ્યા ગયે, શકાતુર ચારૂદત્ત પિતાના ઘરમાં ગયે, મિત્રવતીએ આનંદ અને હર્ષપૂર્વક ચારૂદત્તને સ્નાન તથા ભેજનાદિથી સત્કાર કર્યો, પૂર્વ દિશાને છેડી સૂર્ય પશ્ચિમમાં જાય છે તે પણ પૂર્વ દિશા તેના પ્રત્યે પ્રેમ રાખે છે. કારણ કે બીજે દિવસે સૂર્ય ત્યાંથી જ જગતને પ્રકાશ આપે છે. તેવી જ રીતે પિતાને પતિ પિતાને ત્યજી ગયેલ હોવા છતાં પણ મિત્રવતી પિતાના પતિ ચારૂદત્ત પ્રત્યે અનહદ પ્રેમભાવ હદય પૂર્વક બતાવે છે. રાત્રિએ ચારૂંદત્તના પૂછવાથી મિત્રવતીએ
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy