SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૨૬ વિશની અને જિનશાસનની ઉન્નત્તિમાં જ પિતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી, પક્વોત્તર રાજષિ ઉત્તમ વ્રતનું સમ્ય પ્રકારે પાલન કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી અને સિદ્ધિગતિએ પહોંચ્યા. તપના પ્રભાવથી વિષ્ણુકુમાર મુનિને વાયુથી પણ વેગવાન, સમુદ્રના તરંગોથી પણ અધિક શક્તિશાળી એવી ઘણું લબ્ધિઓની પ્રાપ્તિ થઈ. તેઓશ્રી લબ્ધિ દ્વારા મેરૂપર્વત જેવડું અને પરમાણુ જેવડું પણ શરીર બનાવી શકતા હતા, અત્યંત શક્તિશાળી હોવા છતાં પિતાના તપવ્યયના ભયથી અનુચિત સમયે અને સ્થાને પિતાની લબ્ધિનો વ્યય કરતા નહોતા. અને સુવતાચાર્ય સહિત ઘણુ સાધુએની સાથે પિતે હસ્તિનાપુર ચાતુર્માસ પધાર્યા, તેઓના આગમનની વાત સાંભળી મન્ચી નમુચિને પૂર્વનું ધિર યાદ આવ્યું અને બદલે લેવાની ઈચ્છાથી મહાપદ્મ રાજાને કહ્યું કે યુવરાજ પદના વખતે આપે જે વરદાન આપ્યું હતું તે વરદાન મને હવે જોઈએ છે. તે આપશ્રી મને આપશે. કેમકે સત્પાત્રમાં રાખેલી વસ્તુ યુગના અંતમાં પણ વિનાશ પામતી નથી. રાજાએ વરદાનમાં માંગવાનું કહ્યું. નમુચિએ વરદાનમાં રાજ્યની માંગણી કરી. સત્યવાદી રાજાએ નમુચિને રાજ્ય આપી દીધું. અને પિતે અન્તઃપુરમાં જઈને ચગીની જેમ નિષ્ક્રિય બનીને રહેવા લાગ્યા. જ્યારે નમુચિને રાજ્યાભિષેક થયે તે સમયે -
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy