SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સ્કાર કરીને પિતાના સ્થાને ગયા, તેમના તીર્થમાં વરૂણ યક્ષ (ત્રફ્સ) (શંકર) ચતુર્મુખાદિ ઉપ્તન્ન થયા. પુરૂષદત્તા તથા ગૌરી તે બને શાસન દેવીઓ ઉન્ન થઈ. જન્મથી ચાર, કર્મક્ષયથી અગીયાર, દેવતાઈ ઓગઅણુસ એમ કુલ ત્રીસ અતિશયોથી યુક્ત જઘન્યથી સવા કોડ દેવતાઓથી પરિવરેલા પ્રભુ વિહાર કરતાં કરતાં પ્રતિકાનપુર પધાર્યા, ત્યાં ઈશાન ખુણામાં દેથી નિર્માણ કરાયેલ સમવસરણમાં પ્રવેશ કરી સિંહાસન ઉપર આરૂઢ થઈને પ્રભુએ કલ્યાણકારી ધર્મ દેશના આપી, જનપદ તથા નાગરીકેની સાથે રાજ્યગણ આવ્યા, દેશના શ્રવણ કરી પોતપોતાની શક્તિ મુજબ પ્રભુની વાણીને આદર કર્યો. (વ્રત લીધા). એક ઘેડાની ઉપર ઉપકાર કરવાની અપેક્ષાથી એક અહેરાત્રિમાં સાઠ જન ભૂમિ વિહાર કરી દેવો સહિત ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં આવ્યા, - ઉનત શિખરોથી શોભતા મહાકાય ભવનોમાં લેકે દેવતાઈ સુખે ભેગવતા હતા, એવા ભરૂચ નગરની નજદીકમાં કેરટેક નામના ઉદ્યાનમાં શ્રી વશમા તીર્થાધિપતિ મુનિસુવ્રત સ્વામિ સમેસર્યા, ઉદ્યાન પાલકે નગરમાં જઈ લોકોને તથા જિતશત્રુ રાજાને વધામણી આપી. - રાજાએ તેને ઘણું ધન આપી નગરમાં ઢંઢેરો પીટાવ્યું, રાજાએ વસ્ત્રાલંકારથી દેહ સુશોભન કરી પિતાના મનોરમ જાતિના અશ્વ ઉપર સ્વાર થઈને શ્રી જિનેશ્વર ભગવંતના -દર્શન-વંદન ને માટે પ્રસ્થાન કર્યું. સમસ્ત અંતઃપુર અને નગરજનો પણ રાજાની સાથે
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy