SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પૂત્ર બે ભાઈઓ હતા, બીજા ભવમાં રાજલલિત અને ગંગદત્ત નામના વણિક બને ભાઈઓ હતા, ત્રીજા ભવમાં બંને દેવ થયા, ચોથા ભવે બલરામ અને શ્રીકૃષ્ણ થયા, પાંચમા ભવમાં ના ભાઈ વાલુકા પૂત્ર થયો, છઠ્ઠા ભાવમાં રાજકુલમાં સંપૂર્ણ સાત સાગરેપમના આયુષ્યવાળા શ્રીમાન અમમસ્વામિ નામે બારમા તીર્થંકર થશે. બલરામ પાંચમા ભવે બ્રહ્મદેવલોકમાં દેવ બનીને, છ} ભવે અમમસ્વામિના તીર્થમાં મુક્તિપદને પ્રાપ્ત કરશે. આ ચરિત્ર સંક્ષિપ્ત વાંચનાવડે આ રીતે કહેવાયું. વિસ્તાર વાંચનાથી તેનું વર્ણન આગળ કહેવાશે. શ્રી અમમ સ્વામિના યથાર્થ સમયનું જ્ઞાન ક્યાંથી થયું? એ શંકા બરાબર નથી, કારણકે દ્વાદશાંગીમાં શ્રી તીર્થંકર પરમાત્મા, તથા ગણધર ભગવતેથી આને નિશ્ચય કરવામાં આવેલ છે. જેમાં કૃષ્ણ વાસુદેવને તીર્થકર નામકર્મથી ઓળખવામાં–કહેવામાં આવેલા છે. તેમને જીવ ત્રીજી નરકમાંથી (વાલુકાપ્રભામાંથી) નીકળી,શ્રી પુંડ્ર નામના દેશમાં શતદ્વાર નગરમાં શ્રી ભદ્રા નામની રાણી, અને સમ્મતિ નામના રાજાના પુત્ર, ભાવી ઉત્સર્પિણમાં શ્રી તીર્થકર ભગવાનની ચાવીશી થવાની છે તેમાં લેક્સસ્વામિ શ્રી “અગમ નામના બારમા તીર્થંકર ભગવાન થશે, જેઓએ અમસ્વામિને તેરમા તીર્થકર કહ્યા છે. તે વાત સત્ય નથી. પણ તેઓ શ્રી સિદ્ધાંતની આશાતના કરે છે. ફક્ત કેવલી ભગવંતે તત્ત્વને જાણે છે. એ
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy