SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ સુરસુંદરી ચરિત્ર અરે! એને આવું અકૃત્ય કરતા કંઈપણ દયા આવી નહીં? નિર્દય મનુષ્ય કેવલ પાપમાં જ ઉઘુક્ત રહે છે. તે સિવાય તેમને શાંતિ થતી નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – નિર્દય એવા જઘન્ય કોટીના મનુષ્ય પાપ કરતાં. અચકાતા નથી, દયાલ એવા મધ્યમ બુદ્ધિના મનુષ્ય આપતકાળના . સમયમાં જ પાપ તરફ દષ્ટિ કરે છે અને સજજન પુરુષો તે સમુદ્ર જેમ પોતાની મર્યાદાને ઉલંઘન કરતું નથી, તેમ પ્રાણાંતમાં પણ પોતાના સદાચારને છેડતા નથી. અહો ! કનકવતીની કેટલી નિર્દયતા ! અથવા આ સંસારમાં માયિક એવા સર્વ પદાર્થો ઇંદ્રજાળની લીલાને. વહન કરે છે. ધન, પરિજન અને જીવન વગેરેની સ્થિતિ ક્ષણમાં દષ્ટ અને વિનષ્ટ દેખાય છે. વળી મહાનુભાવ એવા આ સુપ્રતિષ્ઠનું શું થયું હશે ? તે કંઈ મને સમજાતું નથી. શું તે જીવતે હશે? અથવા આ યુદ્ધમાં લઢતે લઢતો તે મરી ગયો હશે? એમ વિચાર કરતે ધનદેવ પોતાના સાર્થમાં આવ્યો. પછી તે સાથેની સાથે ગમન કરતે ધનદેવ. અનુક્રમે હસ્તિનાપુરમાં જઈ પહોંચ્યો.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy