SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૨૩૭ . હે આર્ય પુત્ર ! ક્રમાનુસાર મારૂં જે મરણ થયું હત તે બહુ સારું. કારણ કે, હે સ્વામિન્ ! મારા માટે હાલમાં આપને ઘણી આપત્તિ વેઠવાની આવી પડી. તેમજ નવાહન રાજા વિદ્યાના બળથી બહુ ગર્વિષ્ઠ થયેલ છે અને પરાક્રમમાં બહુ પ્રચંડ છે. હે નાથ ! આપણે અહીંથી નાસી જઈશું તે પણ આપણું કેઈપણ શરણ થવાનું નથી. માટે હે પ્રાણપ્રિય! ખરેખર હું તમારી વૈરિણું થઈ છું. હે સ્વામિન્ ! હાલમાં આપના માથે આવી પડેલી આપત્તિને જોઈ મને જે દુઃખ થયું છે, તેટલું દુઃખ પ્રથમ આપના વિરહ તાપનું પણ મને નહોતું થયું. હે નાથ ! આપ મને પ્રાપ્ત થયા છે છતાં પણ. મારા દુષ્કૃતને લીધે હાલમાં આપ અહીં રહેવાના નથી. પુણ્યહીન પ્રાણીઓને પ્રાપ્ત થયેલી વસ્તુ સહેજમાં નષ્ટ . થાય છે. કહ્યું છે કે, પ્રથમકાલમાં ઉપાર્જન કરેલા પુણ્ય વડે દરેક પ્રાણુઓ . કર્માનુસાર સર્વ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. તેમજ - પુણ્યહીન લોકે કમરૂપી યંત્રમાં જકડાયા છતાં હમેશાં આપત્તિના ભેક્તા બને છે. " . . | હે સ્વામીના સ્વપ્નમાં પણ મને સુખ મળે તેમ . હું ધારતી નથી.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy