SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૨૧૫ મૂતિઓનાં દર્શન કરી ચૈત્યવંદન કર્યા બાદ જિન મંદિરની બહાર એકાંતમાં જઈ તેણે આસન કર્યું, તેટલામાં રાત્રિને સમય થયો. ત્યારબાદ તે વિચાર કરવા લાગ્યો. મારે અહીં શું માનવું ? મારા હાથમાંથી મુદ્રારત્ન લઈને તેણીએ પોતાનું મુદ્રાન મને આપ્યું. એનો સ્પષ્ટાર્થ કંઈ પણ મારા સમજવામાં આવ્યું નહીં. એણીના કુળની સ્થિતિ માટે કેવી રીતે જાણવી ? અથવા તે યુવતિને કેવી રીતે મારે પ્રાપ્ત કરવી? જે હું તે કન્યાને પરણું તે જ આ મારૂં જીવિત સફલ થાય. તેવા અદભૂત પ્રકારના રૂપવાળી સ્ત્રીની સાથે આ દુનિયામાં વિષયસુખ ભોગવવું તે ઉચિત છે. અન્યથા વિષયસુખની આશા મને વિડંબના લાગે છે. કેળના ગર્ભસમાન સુકેમળ છે હસ્તલતા જેની, હંસસમાન ગમન કરતી એવી તે બાળા જે પુરૂષના હસ્તતલને સ્પર્શ કરશે તે પુરૂષના જન્મને હું કૃતાર્થ માનું છું. તે સુતનુને મેં મારા ખોળામાં લીધી એટલા માત્રથી મારા આત્માને હું ધન્ય માનું છું અને ખોળામાં લીધા પછી તેણીનું જે ગાઢ આલિંગન મેં ન કીધું એ માટી મારી ભૂલ થઈ છે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy