SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૧૦૩. દેવતાઓને દુર્લભ એવા આ મનુષ્યદેહને આવા અકાનુ' આચરણ કરી શા માટે તું નષ્ટ કરે છે ? અરે ! આ માનવભવ મહાપુણ્યથી પ્રાપ્ત થાય છે. અનેક પૂર્વ ભવામાં ઉપાર્જન કરેલા પુણ્યના. ઉદયથી અત્યંત દુર્લભ એવા આ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. છતાં આવા તુચ્છ કાને લીધે તેનું કંઇપણ સાથ કપણું કરવામાં ન આવે, તે તે પુરુષનું જીવન અસાર છે. અર્થાત્ આ મનુષ્યભવ પામી તેણે કંઇપણ કર્યુ” ગણાય નહી. પાશના છેદ જ્યારે તે દિવ્ય શબ્દ નહી' જેવા મારા સાંભળવામાં આન્યા; તેટલામાં કાઈક પુરુષ ત્યાં આન્યા અને વૃક્ષની શાખાએ મને લટકતા જોઈ એકદમ તેણે મારા ગળાના પાશ કાપી નાખ્યું; તેમજ મને સાચવીને નીચે સુવાડીને ઠંડા પવન નાખવા લાગ્યા. ત્યારપછી તે પુરુષ હિમસમાન શીતલ એવા પ્રવાહનું પાણી લાવી મારા શરીરે સિ'ચન કરવા લાગ્યા, તેથી મારુ હૃદય ફરકવા લાગ્યું અને કઇક શુદ્ધિનાં ચિહ્ન દેખાયાં. પછી તેણે ધીમે ધીમે મારા સર્વ અંગનું મન . કર્યું. તે વખતે મારાં નેત્ર મૂર્છાથી મીંચાઈ ગયેલાં હતાં. તેમજ સ્વપ્ન સમાન ખાદ્ય સ્થિતિને હુ· અનુભવતા હતા. પછી મને તેણે ઉપાડીને સુકેામલ પદ્મવેાથી રચેલી શય્યાઉપર સાચવીને સુવાડી દીધા.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy