SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૧૫૫ મારી જીભ ચાલી શકી નહીં; મારા શરીરના સર્વ સંધીઓ સ્થિર થઈ ગયા. ત્યારબાદ કનકમાલા તમાલ વૃક્ષની શાખાએ ચઢીને પિતાના ઓઢવાના વસ્ત્રને એક છેડે શાખાએ બાંધે અને બીજે છેડે પિતાને ગળે બાંધ્યો. ત્યારપછી તે ક્ષમાપૂર્વક બાલવા લાગી, હે જનની! બાલ્યાવસ્થાથી આરંભીને જે કંઈ મારાથી તારો અપરાધ કરાયો હોય તે સર્વની તારે મારા ઉપર ક્ષમા કરવી. હે તાત! સ્નેહને લીધે પ્રથમ જે કાંઈ આપને મેં કલેશ આપ્યો હોય, તે સર્વ મારા અપરાધની હાલમાં આપ ક્ષમા કરશે. કારણ કે, હવે હું પરલોકમાં પ્રયાણ જનની સમાન હાર્દિક નેહને ધારણ કરતી એવી હે સેમલતે ! તારે પણ જે કંઈ અપરાધ મારાથી કરવામાં આવ્યો હેય તેની તારે પણ ક્ષમા કરવી. ઉત્તમ સ્નેહને ધારણ કરતી એવી હે સખીઓ ! જે કંઈ મારાથી આપને અવિનય કરાયો હોય તેની તમારી પાસે હું ક્ષમા માગું છું. ક્ષણમાત્ર દૃષ્ટિગોચર થયેલા અને હદયની અંદર રહેલા એવા હે વલ્લભ ! આપ મારું વચન સાંભળે? હે સ્વામિન ! પ્રાણ ત્યાગના સમયે મારે કંઈક પ્રાર્થના કરવાની છે. તમારા સમાગમથી રહિત એવી મેં મંદ ભાગિનીએ
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy