SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ તેજના રાશિ હાય, અને જાણે મૂર્તિમાન પુણ્યના સમૂહ હોય તેમ સ્વર્ગના આભૂષણ રૂપ થઈને રહ્યા. અલભદ્ર સા વ સુધી અતિ નિર્મળ વ્રત પાળી દેવપણાને પ્રાપ્ત થયા. ત્યાં તેણે અવધિજ્ઞાન રૂપ ચક્ષુથી જોયું તે ત્રીજી નારકીમાં અધમ દૈવતારૂપ પરમાધાર્મિકો વડે અતિ નિયપણે મરાતા કૃષ્ણે જોવામાં આવ્યા. પછી તે વૈક્રિય શરીર વડે કૃષ્ણની પાસે આવ્યા. સ્નેહથી માહ પામેલા અલભદ્રે ત્યાં તેવી અવસ્થામાં કૃષ્ણને જોયા. કૃષ્ણને જોઈ ખલભદ્ર ખેલ્યા, ‘હું તમારા ભાઈ બલભદ્ર છું. ચિરકાલ વ્રત પાળીને બ્રહ્મલેાકમાં દેવતા થયા છું. હું અહીં તમને મળવા આવ્યો છું. કહે હું શું કરૂ ? કૃષ્ણ ખેલ્યા, ભાઈ, મને અહીંથી ખેચી લે. આ પરમાધાર્મિકોએ કરેલી તથા ક્ષેત્ર જ વેદના સહન કરવાને હું અશક્ત છું, કારણ કે, હું પૂર્વ ભવે સુખી હતા.' કૃષ્ણનાં આવાં વચન સાંભળી તે બળવાન દેવતાએ પેાતાના એ ભુજાથી તેને લેવા માંડ્યા, તેવામાં તે તે પારાની પેઠે વેરાઇને પૃથ્વી ઉપર પડી ગયા. પછી ફરીવાર ગાઢ યત્રણાપૂર્વક તેમને એ ભુજામાં લેવા માંડ્યા, તે તે ગલત્કૃષ્ટીની જેમ ઉલટી અત્યંત વ્યથા પામ્યા. એટલે તેણે કહ્યું, ભાઈ, એમ કરશે નહિ. તમે હાથે મને પકડા છે, તેથી જે દુઃસહુ પીડા થાય છે, તે હું સહન કરી શકતા નથી. મેં હવે જાણ્યું છે કે, મારૂં કર્માં મારે જ સહન કરવું. શ્રી નેમિનાથ પ્રભુએ જે કહ્યું છે, તે શું અન્યથા થાય ?’ બલભદ્રે કહ્યું, ‘હુ બલવાન છું પણ ક`થી યંત્રિત એવા તમને લઈ શકતા નથી. જો તમારી ઇચ્છા હોય તે હું તમારી પાસે ઉભું રહ્યું,” કૃષ્ણે કહ્યું,
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy