SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૫ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૪-૧પ-૧૬૬ ખણજ કાળમાં ખણજની મીઠાશ પણ પ્રતીત થાય છે. તેમ પાંચમી દૃષ્ટિમાં વિવેક હોવાને કારણે ભોગ સારભૂત દેખાતા નથી, તોપણ ભોગકાળમાં કંઈક સંશ્લેષ પણ થાય છે. જ્યારે છઠ્ઠી દૃષ્ટિવાળા યોગીઓને ભોગ તો અસાર લાગે છે, અને શ્રુતમાં ચિત્ત અત્યંત આક્ષિપ્ત હોવાને કારણે ભોગની ઇચ્છા પણ પાંચમી દૃષ્ટિવાળા જીવો જેવી બલવાન હોતી નથી, છતાં ભોગકર્મને કારણે અવિરતિજન્ય કંઈક ઇચ્છા થાય છે; તોપણ શ્રુતનો અતિ આક્ષેપ હોવાને કારણે કાયાથી થતી તે પ્રવૃત્તિમાં નહિવત્ સંશ્લેષ હોય છે, જે કેવલ અવિરતિના ઉદયરૂપ કહી શકાય. માટે તેમના ભોગો ભવના હેતુ થતા નથી, ફક્ત અવિરતિઆપાદકકર્મ ભોગથી ભોગવાઈને નષ્ટ થાય છે, જેથી યોગમાર્ગની પ્રવૃત્તિ અતિવેગવાળી થઈ શકે છે. II૧૬૪માં અવતારણિકા : अमुमेवार्थं दृष्टान्तमधिकृत्याह - અવતરણિતાર્થ : - દષ્ટાંતને આશ્રયીને આ જ અર્થને=આક્ષેપક જ્ઞાનને કારણે ભોગો સંસારના હેતુ થતા નથી એ જ અર્થ, કહે છે – ભાવાર્થ - શ્લોક-૧૬૪માં કહ્યું કે છઠ્ઠી દૃષ્ટિવાળા યોગીને આક્ષેપક જ્ઞાન હોવાને કારણે ભોગો ભવના હેતુ થતા નથી. એ અર્થ દૃષ્ટાંતથી બતાવે છે – શ્લોક : मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ।।१६५ ।। भोगान्स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुजानोऽपि ह्यसङ्ग: सन् प्रयात्येव परं पदम् ।।१६६।। અન્વયાર્થ: માયાન્મસ્તત્વત: પદ્ય—માયારૂપી પાણીને તત્વથી જોતો તત: અનુદિન=તેનાથી અદ્વિગ્ન માયારૂપી પાણીથી અદ્વિગ્ન, વ્યાયાતવંનત =વ્યાઘાતરહિત પુરુષ યથા=જે પ્રમાણે તન્મથેન તેની મધ્યમાંથી= માયાપાણીની મધ્યમાંથી દુતzશીધ્ર પ્રયાવ જાય છે જ; તથા તે પ્રમાણે માયશોપના મો સ્વત: પરચ-માયાપાણીની ઉપમાવાળા ભોગોને સ્વરૂપથી જોતો, મુઝાનો પિ દિકભોગવતો પણ સE સન્કઅસંગ છતો, કાંતાદષ્ટિવાળો યોગી પર પE મોક્ષ તરફ પ્રવિ =જાય છે જ. IT૧૬પ-૧૬૬
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy