SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ o૮ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૮-૪૯ (૩) ઇન્દ્રિયજયનું ફળ-પ્રકૃતિનો જય : ઇન્દ્રિયોનો જય થવાથી પ્રકૃતિનો કર્મપ્રકૃતિનો, જય થાય છે, તેથી યોગી કર્મને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ પ્રકૃતિ તેમને વશ હોય છે. ll૩-૪૮ અવતરણિકા: इन्द्रियजयमभिधायान्तःकरणजयमाह - અવતરણિકાર્ય : ઇન્દ્રિયજયને ક્વીને અંત:કરણજયને મનના જયને, કહે છે – સૂત્રઃ सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च ॥३-४९॥ સૂત્રાર્થ : સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિમાબવાળા પુરુષને સર્વભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વજ્ઞાતૃપણું પ્રાપ્ત થાય છે. ૩-૪૯II ટીકા : 'सत्त्वेति'-तस्मिन् शुद्ध सात्त्विके परिणामे कृतसंयमस्य या सत्त्वपुरुषयोरुत्पद्यते विवेकख्यातिर्गुणानां कर्तृत्वाभिमानशिथिलीभावरूपा तन्माहत्म्यात्तत्रैव स्थितस्य योगिनः सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च समाधेर्भवति । सर्वेषां गुणपरिणामानां भावानां स्वामिवदाक्रमणं सर्वभावाधिष्ठातृत्वं, तेषामेव च शान्तोदिताव्यपदेश्यर्मित्वेनावस्थितानां यथावद्विवेकज्ञानं सर्वज्ञातृत्वम्, एषां चास्मिन् शास्त्रे परस्यां वशीकारसज्ञायां प्राप्तायां विशोका नाम सिद्धिरित्युच्यते ॥३-४९॥ ટીકાર્ય : તસ્મિન્ .... મવતિ ા તે શુદ્ધ સાત્ત્વિક પરિણામમાં કરાયેલ સંયમવાળા યોગીને જે સત્ત્વ અને પુરુષની વિવેકખ્યાતિ=ગુણોના કર્તુત્વના અભિમાનના શિથિલભાવરૂપ વિવેકખ્યાતિ, ઉત્પન્ન થાય છે. તેના માહાભ્યથી વિવેકખ્યાતિના માહાભ્યથી, ત્યાં જ રહેલા યોગીને સ્થાનાંતર ગમન કર્યા વગર ત્યાં જ રહેલા યોગીને, સર્વભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વજ્ઞાતૃપણું સમાધિથી થાય છે. સર્વભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વજ્ઞાતૃપણું શું છે ? તે સ્પષ્ટ કરે છે – સર્વેષાંતે સર્વ ગુણપરિણામરૂપ ભાવોનું સ્વામીની જેમ આક્રમણ સર્વભાવ અધિષ્ઠાતૃપણું છે અને શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મિપણાથી અવસ્થિત રહેલા એવા, તેઓનું સર્વગુણ
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy