SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૩-૨૪ આશય એ છે કે, જ્યાં સુધી યોગી સાધના કરીને મુક્ત થયા નથી ત્યાં સુધી તે યોગીપુરુષ અને દેશ્ય એવી પ્રકૃતિ તે બન્ને પરસ્પર સંવેદ્યસંવેદકભાવ વડે રહેલા છે, અને તે બન્ને સંવેદ્યસંવેદકભાવપણારૂપે રહેલા છે તેનું કારણ તે બન્નેનો તથા પ્રકારનો સંયોગ છે અર્થાત્ પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે અને તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે અને તેના કારણે બુદ્ધિ જે ભોગો કરે છે તેની પુરુષને ‘હું ભોગો કરું છું એવી પ્રતીતિ થાય છે, તેથી પુરુષ ભોક્તા બને છે અને પ્રકૃતિરૂપ પ્રધાનમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે તે ભોગ્ય બને છે અને જે યોગી સાધના કરીને મુક્ત થાય છે તે યોગીપુરુષનો પ્રકૃતિ સાથે ભોક્સંભોગ્યત્વરૂપ સંબંધ નષ્ટ થાય છે માટે તેમનો સંસાર નષ્ટ થાય છે. ર-૨૩. અવતરણિકા : तस्यापि कारणमाह - અવતરણિતાર્થ : તેનું પણ સંયોગનું પણ, કરણ કહે છે – ભાવાર્થ : પાતંજલયોગસૂત્ર ૨-૧૮માં દશ્યનું સ્વરૂપ બતાવ્યું, ત્યારપછી ૨-૨૦માં દ્રષ્ટાનું સ્વરૂપ બતાવ્યું ત્યારપછી ૨-૧૩માં દશ્ય અને દ્રષ્ટાના સંયોગનું સ્વરૂપ કાર્ય દ્વારા બતાવ્યું, તેથી તેવું જે કાર્ય કરે તે સંયોગ કહેવાય તેવો અર્થ પ્રાપ્ત થાય તેથી તેવા પ્રકારના કાર્ય પ્રત્યે જે કારણ છે તે સંયોગ છે તેવો અર્થ પ્રાપ્ત થયો. હવે તેવા પ્રકારના કાર્ય પ્રત્યે કારણ એવા સંયોગના પણ કારણને કહે છે – સૂત્ર : तस्य हेतुरविद्या ॥२-२४॥ સૂત્રાર્થ : તેનો હેતુ=દશ્ય અને દ્રષ્ટાના સંયોગનો હેતુ, અવિધા છે. l૨-૨૪ll ટીકા: 'तस्येति'-या पूर्वं विपर्यासात्मिका मोहरूपाऽविद्या व्याख्याता सा तस्य-विवेकाધ્યાતિરૂપચ્ચે સંયોીિ વારમ્ ાર-૨8ા. ટીકાર્ય : ય ..... RTIમ્ | પાતંજલયોગસૂત્ર ૨-પમાં વિપર્યાસ આત્મક મોહરૂપ અવિદ્યા વ્યાખ્યાન કરાઈ તે તે અવિદ્યા, તેનું વિવેક અખ્યાતિરૂપ સંયોગનું ભેદના અગ્રહણરૂપ સંયોગનું, કારણ છે. ||૨-૨૪||
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy