SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૮-૧૯ સંસાર અવસ્થામાં પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી ભોગો થાય છે અને યોગી બુદ્ધિ દ્વારા સાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે, તેથી પુરુષને ભોગ પ્રાપ્ત કરાવવા અને પુરુષને અપવર્ગ પ્રાપ્ત કરાવવો એ બુદ્ધિનું પ્રયોજન છે. ll૨-૧૮ અવતરણિકા : ___ तस्य च दृश्यस्य नानावस्थारूपपरिणामात्मकस्य हेयत्वेन ज्ञातव्यत्वात्तदवस्थाः कथयितुमाह - અવતરણિકાર્ય : પાતંજલયોગસૂત્ર ૨-૧૮માં દશ્ય એવી બુદ્ધિના સ્વરૂપ, કાર્ય અને પ્રયોજન બતાવ્યાં. હવે નાનાજુદા જુદા પ્રકારના, અવસ્થારૂપ પરિણામ આત્મક એવા તે દેશ્યનું હેયપણારૂપે જ્ઞાતવ્યપણું હોવાથી અર્થાત્ મોક્ષના અર્થી જીવ માટે દેશ્ય એવી બુદ્ધિ હેયપણારૂપે જાણવા યોગ્ય હોવાથી, તેની અવસ્થાને=બુદ્ધિની અવસ્થાને, કહેવા માટે કહે છે – સૂત્ર : विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि ॥२-१९॥ સૂત્રાર્થ : વિશેષ, અવિશેષ લિંગમાત્ર અને અલિંગ ગુણોના પર્વસ્થાનો છે અર્થાત ગુણનિષ્પત્તિ માટેની અવસ્થાવિશેષ છે. રિ-૧૯ll ટીકા : __'विशेषेति'-गुणानां पर्वाण्यवस्थाविशेषाश्चत्वारो ज्ञातव्या इत्युपदिष्टं भवति, तत्र विशेषा महाभूतेन्द्रियाणि, अविशेषास्तन्मात्रान्तःकरणानि, लिङ्गमानं बुद्धिः, अलिङ्गमव्यक्तमित्युक्तम्, सर्वत्र त्रिगुणरूपस्याव्यक्तस्यान्वयित्वेन प्रत्यभिज्ञानादवश्यं ज्ञातव्यत्वेन योगकाले ત્વરિ પર્વ નિર્દિષ્ટ ર-૨૧ ટીકાર્ય : TUIનાં .... નિર્વિષ્ઠાનિ ગુણોના પર્વો અવસ્થાવિશેષો, ચાર જ્ઞાતવ્ય જાણવા યોગ્ય છે, એ પ્રમાણે ઉપદિષ્ટ થાય છે તે પ્રમાણે પ્રસ્તુત સૂત્રથી કહેવાયેલું થાય છે. ગુણોના ચાર પર્વત્થાન=ચાર અવસ્થાવિશેષો બતાવે છે – ત્યાં ગુણોની ચાર અવસ્થાવિશેષ કહી ત્યાં, (૧) મહાભૂત અને ઇન્દ્રિયો વિશેષ છે-કોઈકના કાર્યરૂપ વિશેષો પાંચમહાભૂત અને અગિયાર ઇન્દ્રિયો છે (૨) તન્માત્રા અને અસ્મિતા અવિશેષ છે,
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy