SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨-૩ ટીકાર્ય : ગ્નેશ : તથm:, ક્લેશો આગળ હેવાશે-પાતંજલયોગસૂત્ર ૨-૩થી ૨-૯માં કહેવાશે તે સ્વરૂપવાના છે. તેનું તનુકરણ-સ્વકાર્ય કરવામાં પ્રતિબંધ સ્વરૂપ અલ્પકરણ છે. કહેવાયેલા સ્વરૂપવાળી પાતંજલ યોગસૂત્રના પ્રથમ સમાધિપાદમાં કહેવાયેલા સ્વરૂપવાળી, સમાધિ છે. તેની ભાવના=સમાધિની ભાવના=ચિત્તમાં ફરી ફરી નિવેશનઃસ્થાપન, તે સમાધિની ભાવના છે. સમાધિમાવનાર્થક અને નૈતિકૂળRUાર્થ: આ બંનેમાં અર્થ શબ્દ છે તેનું યોજન સ્પષ્ટ કરે છે – તે અર્થ=પ્રયોજન, છે જેને તે તે પ્રમાણે કહેવાયું છે સમાધિની ભાવના પ્રયોજન છે જેને તે સમાધિમાવનાર્થ છે અને ક્લેશોનું તનૂકરણ શિથિલીકરણ પ્રયોજન છે જેને તે વર્તેશતકૂળRUTW: છે. પતલુરૂં મવતિ – આનાથી શું ફ્લેવાયેલું થાય છે તે સ્પષ્ટ કરે છે – ત્તેિ ..... સાવિષ્ટ I આ તપ વગેરે અભ્યાસ કરાતાં ચિત્તગત ચિત્તમાં રહેલા અવિદ્યાદિ ક્લેશોને, શિથિલ કરતાં સમાધિની ઉપકારતાને ભજે છે. તે કારણથી પ્રથમ પ્રથમ ભૂમિકામાં, ક્રિયાયોગના અવધાનમાં પણ એવા તત્પર એવા, યોગીએ થવું જોઈએ, એ પ્રમાણે ઉપદેષ્ટિ=કહેવાયેલું છે. Il૨-૨I. ભાવાર્થ : તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિઘાનસ્વરૂપ ક્રિયાયોગનું પ્રયોજન : યોગીઓ ક્લેશોને શિથિલ કરવા માટે તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનસ્વરૂપ ક્રિયાયોગ સેવે છે અને સમાધિના ભાવન માટે યોગીઓ ક્રિયાયોગને સેવે છે, માટે સમાધિના અર્થીએ સમાધિમાં વિજ્ઞભૂત એવા ક્લેશોના નાશ થાય તે રીતે તપાદિ કરવા જોઈએ અને ક્લેશોનો નાશ થાય તે રીતે વારંવાર સમાધિનું ભાવન પણ તપાદિના સેવનકાળમાં કરવું જોઈએ, તેથી ક્રિયાયોગ ફળવાળો થાય. IN૨-૨ અવતરણિકા: क्लेशतनूकरणार्थ इत्युक्तं, तत्र के क्लेशा इत्यत आह - અવતરણિતાર્થ : પાતંલયોગસૂત્ર ૨-૨માં કહ્યું કે ક્લેશોને તનૂ કરવા માટે શિથિલ કરવા માટે, ક્રિયાયોગ છે. ત્યાં ક્લેશો કયાં ? એથી કરીને કહે છે – સૂત્ર : अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः क्लेशाः ॥२-३॥
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy