SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરજન વિનતિ ૧૫ બહુ બુદ્ધિમાન છતાં પણુ આ રાજાની મૂઢતા હાલમાં શાથી થઈ ? કારણ કે દેહમાંથી આત્માને જૅમ મંદિરમાંથી તમને કાઢી મૂકે છે. હે સ્વામિ ! સજજન રૂપી ચક્રવાકને ઉલ્લાસ આપવામાં સૂર્ય સમાન આપના પ્રયાણથી નગરની અંદર લેાકેાને આંધળુ' કરનાર શેકમય અંધારૂ થશે, આજે અમારા ભાગ્યની રચનાએ નાશ પામી છે, કારણ કે પિતાની માફક દયાળું એવા આપ અમારા નગરમાંથી ચાલ્યા જાઓ છે. એ પ્રમાણે પ્રાથના કરતા અને ગુણ સમૂહને વશ થયેલા નાગરિક લાકોને ખલાકારે ઉભા રાખીને તેએ બંને જણ નગરમાંથી નીકળી ગયા. અમૃત સમાન પરસ્પર વાર્તા વિનાદવડે પેાતાના સ્થાનમાં રહેલાની જેમ કિંચિત માત્ર પણ તેએ માર્ગ શ્રમ જાણતા નહાતા. કેટલાક માગ ચાલ્યા એટલે ભયની રાજધાની સમાન માટી એક વનભૂમિમાં તેએ જઈ પહોંચ્યા. જેની અંદર વૃક્ષાની ઘણી લક્ષ્મી દીપે છે. શીકારા પશુઓની સ્વત’ત્રતા, અંધકારનુ` સામ્રાજય અને વિપત્તિઓને ભારે ઉત્સવ દેખાતા હતા. થેાડીક અટવી ઉલ્લંધન કરી તેટલામાં સ`સાર અસ્થિર છે, એમ ધીમે ધીમે તે બંનેને કહેતા હૈાય તેમ સૂર્યાસ્ત સમય થવા લાગ્યા. જો કે હું સૂર (સૂર્ય-શુરા) શ્રુ, તા પણ હમેશાં ઉદય-અભ્યુદય અને વ્યય (અસ્ત) ને પામુંછું, તે ખીજાની સ્થિરતા કયાંથી હોય ? એમ જણાવતા હેાયને શું? તેમ તે સમયે સૂય પાતે અસ્ત થયા. પેાતાના પ્રતિરૂપ સૂર્ય અસ્ત થયે છતે તેના વિયેાગને નહિ સહન કરતી દિવસની લક્ષ્મીએ ખરેખર સંધ્યાકાળના રાગરૂપી અગ્નિમાં પ્રવેશ કર્યાં. માતા પિતાના હૃદયમાં પણ સ્ત્રીજાતિ હાવાથી પ્રીતિ મારી માફક અસ્થિર છે, એમ પક્ષીઓના શબ્દોવડે તે બન્નેને જણાવતી હોયને શું? તેમ સ ંધ્યા પણ કાઈ ઠેકાણે ચાલી ગઈ.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy