SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ કુમારપાળ ચરિત્ર દેવ દર્શન કરવાથી લક્ષમી આદિક સુખ મળે છે. પ્રતિમાનું પૂજન કરવાથી સ્વર્ગ સંપત્તિ અને દેવાર્ચન સંબંધી તીવ્રભાવ થવાથી મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ખરેખર શુભ કાર્યોમાં મુખ્ય તીર્થયાત્રા જ કહેવાય છે. દાનાદિક સર્વ ધર્મ પણ તીર્થમાં સમાઈ જાય છે. વળી તીર્થબંધાવવાથી ધન સંપત્તિ કલ્યાણકારી થાય છે. કારણ કે, ઈક્ષુ-શેરડીના ક્ષેત્રમાં વર્ષ વાથી શું પાણી માધુર્યદાયક ન થાય? એકલે પણ બુદ્ધિમાન પુરુષ તીર્થયાત્રા કરવાથી કલ્યાણ મેળવે છે. તે પછી સંઘપતિ થઈને તીર્થને નમે તેને તે કહેવું જ શું? એજ કારણથી ભરતાદિક રાજાએ સપ્તતીથી–સાત તીર્થોને નમસ્કાર કરી શ્રીસંઘપતિ થયા. માટે હે રાજન ! તારે પણ તે માગે પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. કારણકે, ગજેંદ્રના માર્ગને નાને હાથી અનુસરે છે. યાત્રાપ્રયાણ ત્યારપછી તેજ વખતે તીર્થયાત્રા માટે શુદ્ધ લગ્નને નિર્ણય કરાવી ભૂપતિએ મહત્સવ પૂર્વક દેવાલયનું પ્રસ્થાન કર્યું. કેઈએ જીવહિંસા ન કરવી, એ પ્રમાણે અમારી પટાની ઘોષણા કરાવી. કારાગૃહમાંથી બંદી જોને છોડી મૂક્યા. સાધર્મિક વિગેરે લેકે સત્કાર કર્યો. તેમજ મૈત્યરપન કરાવ્યાં. આ પ્રકારને વિધિ અન્ય સંઘપતિ તે એકવાર પણ બહુ મહેનત કરાવે છે અને ધાર્મિક જમાં શિરમણિ સમાન શ્રીકુમારપાલ તે હંમેશાં કરાવતે હતે. સંઘમાં શ્રી હેમચંદ્રસૂરિ વિગેરે મોટા મૃતધર આચાર્ય તેમજ વાગભટ પ્રમુખ મંત્રીઓ, પ્રહાદન આદિ રાણાઓ, નૃપમાન્ય બહુ ટ્યુર્તિમાન નાગણીને પુત્ર આભડછી અને નેવું લાખ સોનૈયાને અધિપતિ છાડા નામે છેડી,
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy