SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મદનવતીવિવાહ ૧૦૫ ત્યારપછી પોતાના સ્વામીનું સ્ત્રીપણું જોઈ મદનવતી પ્રભાત કાલમાં કુમુદિની જેમ એકદમ પ્લાન થઈ ગઈ અને પિતાના માતા પિતાની આગળ તે વાત તેણીએ જાહેર કરી. તે સાંભળતાં રાજા અને રાણીના મનમાં બહુ આશ્ચર્ય થયું. જેથી ગુણશ્રીને પિતાની પાસે બોલાવી અને તેઓ તેનું વિચિત્ર તે ચરિત્ર પૂછવા લાગ્યાં. ગુણશ્રીએ પિતાનું યથાસ્થિત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી રાજાને બહુ ક્રોધ થયો, અહો ! “સ્ત્રી સાહસ અપાર હેાય છે?” એમ વિચાર કરતે તે બે. પિતાનું સ્વરૂપ ગુપ્ત રાખી મને છેતરીને આ મારી કન્યાને તું પરણી અને આ પ્રમાણે મારી કન્યાની વિડંબના તે શા. માટે કરી? ગુણશ્રી બલી. દેવ ! આપને બહુ આગ્રહ થવાથી પિતાની વિગોપનાની ભીતિને લીધે મેં આ અકૃત્ય કર્યું હતું. હાલમાં મારા પતિને સમાગમ થશે એટલે મેં મારું સ્વરૂપે પ્રગટ કર્યું. પિતાનું કાર્ય સિદ્ધ થવાથી કઈ પ્રકારની અકીતિ હતી નથી. એમ સાંભળી સમરસિંહરાજાએ તેને વિદાય કરી. પછી પિતાના મંત્રીને બેલાવી રાજાએ પૂછયું. હવે આ પુત્રીનું મારે શું કરવું? જે યોગ્ય લાગે તે કહો. વિચાર કરી મંત્રી બોભે. હે દેવ! ગુણશ્રી સાથે એને જે પાણિ ગ્રહ થયે તે વ્યર્થ છે. અને એના એગ્ય બીજે કઈ સદ્ગુણી વર નથી, માટે આ પુણ્યસારને જ આ કન્યા આપે. મંત્રીનું યોગ્ય વચન સાંભળી રાજાએ પુત્રના વૃત્તાંતથી ખુશી થયેલા ધનસારને બોલાવી તેના પુત્રને પિતાની કન્યા આપવી, એ નિશ્ચય કર્યો. પછી તે બંનેને મહત્સવપૂર્વક તેણે વિવાહ કરાવ્યું. લાંબા વખતથી મનમાં ધારેલી અને પ્રથમ તિરસ્કારની લાગણીથી જોતી એવી
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy