SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ચરિત્ર = = = પુણ્યસારકુમાર ગુણચંદ્ર મદનવતીને પર તે વાત સાંભળી પુણ્યસારને સર્વ મનોરથ નષ્ટ થશે અને હિમથી ઘેરાયેલા ચંદ્રની માફક કાંતિહીન થઈ ગયે. પછી પિતાના મનમાં તે વિચાર કરવા લાગ્યું. મદનપતીને પરણવા માટે મેં પ્રથમ સરસ્વતીની પ્રાર્થના કરી હતી. તેની પ્રાપ્તિ કરાવનાર એક શ્લેક તેણીએ મને આપ્યું હતું. તેની ઈચ્છાને લીધે મંત્રની માફક તે લેકનું હંમેશાં હું મારા હૃદયની અંદર સ્મરણ કરતું હતું, છતાં પણ ગુણચંદ્રકુમાર પિતાની ઉપર આસક્ત થયેલી તે મદનવતીને પરો. ધૂર્તની માફક સરસ્વતી દેવીએ કલેકવડે મને શામાટે છેતર્યો ? હવે હું ધ્યાનથી તેને પ્રત્યક્ષ કરી ખૂબ ઠપકે આપું, એમ નિશ્ચય કરી પુણ્યસાર ધ્યાન કરવા બેઠો. ધ્યાનના પ્રભાવથી સરસ્વતી પ્રગટ થઈ. બહુ ભકિતથી પ્રેરાયેલ પુણ્યસાર પ્રણામ કરી હાથ જોડીને બે. હે દેવી! રાજપુત્રીની પ્રાપ્તિ માટે મને તે શ્લેક આપ્યો હતે. તેનું હંમેશાં હું સ્મરણ કરતું હતું, છતાં પણ તે મદનવતીને અન્ય પુરુષ પરણી ગયે. તારું પણ વચન જે મિથ્યાત્વથી દૂષિત થાય તે સૂર્યની કાંતિ અંધકારથી દૂષિત કેમ ન થાય? વાત્સલ્ય રસની નીક સમાન તું કહેવાય છે. છતાં પણ તે મને છેતર્યો તે પછી માતા પુત્રને છેતરે તેમાં શી નવાઈ ? સરસ્વતી દેવી બેલી. હે વત્સ ! તું વૃથા શા માટે મને ઠપકો આપે છે ? મેરૂશિખરની માફક દૈવી વાણી કઈ દિવસ ચલાયમાન થતી નથી. સામાન્ય માણસને પણ હું કઈ દિવસ પ્રપંચથી છેતરતી નથી, તે નિખાલસ ભક્તિમાં ઉદ્યત થયેલા તારા સરખા ઉત્તમ પુરુષની તે વાત જ શી ? હે વત્સ ! હજુ પણ તે રાજપુત્રીને પિતાની સ્ત્રી કરવા તું
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy