SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નૃસિંહરાત ૪૭ વળી તે રાજા હંમેશાં નીતિની રીતમાં તત્પર હતે છતાં પણ સર્વ પ્રજા વર્ગ અનીતિ-અન્યાયમય જ હતે આશ્ચર્યું હતું, એમ નહીં પણ અનીતિ સર્વ ઉપદ્રવ રહિત હતા, એમ આનંદથી અભયંકર રાજા રાજ્ય ચલાવતે હતો. નૃસિંહરાજા એક દિવસ અભયંકર રાજા સભામાં બેઠે હતું, ત્યારે પુગ્ધપુર નગરને સવામી નૃસિંહ રાજા ત્યાં આવ્યું અને રાજાને નમસ્કાર કરી છે , હે પ્રભે ! દાવાનળથી બળેલા વૃક્ષને જેમ વષકાલ પ્રફુલ કરે છે. તેમ શત્રુઓથી ભ્રષ્ટ થયેલા રાજાઓના ઉદ્ધાર કરનાર આપે છે. વળી હે રાજન ! નીચે પડતા હાથીઓને ખરે આધાર જેમ પૃથ્વી છે, તેમ પદભ્રષ્ટ થયેલા રાજાઓના આધાર ભૂત આપે છે. મારે આપને વિનતિ કરવાની એ છે કે, તગરા નામે એક નગરી છે, તેમાં ઘનવાહન રાજા રાજ્ય કરે છે. તે વિના કારણે મારે દ્વેષી બન્યા છે. અને હાલમાં તેણે મને પદભ્રષ્ટ કરી મારૂં રાજ્ય પિતાને તાબે કર્યું છે. આ અન્યાય એના વિના બીજો કેણ કરે ? ક્ષણમંડલ થવાથી ચંદ્ર જેમ સૂર્યને પ્રાપ્ત થાય છે, તેમ ક્ષીણબળ થવાથી હું આપને મિત્ર જાણે મારા ઉદ્ધારની ઈચછા માટે આપના શરણમાં આવ્યું છું. માટે ખગસિદ્ધિ વિગેરે સહાય આપી મને તેજસ્વી કરે, જેથી હું બલિઝ થઈ શત્રુને સંહાર કરી પિતાની રાજ્ય લક્ષમી સ્વાધીન કરૂં. અભયંકર રાજાએ તરત જ તેનું વચન માન્ય કર્યું અને તેના ઉતારા માટે અધિકારીને આજ્ઞા કરી એટલે તે ત્યાંથી વિદાય થયે. - પછી સુમતિ નામે તેના મંત્રીએ રાજાને પ્રાર્થનાપૂર્વક કહ્યું કે, હે દેવ ! આપની ઉદારતા તે સીમા વિનાની દેખાય છે,
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy