SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ કુમારપાળ ચરિત્ર એમ કરતાં કેટલેક સમય ગયેા. એક દિવસ અમરસેના રાણી પેાતાના શયનસ્થાનમાં સુઈ રહી હતી, ત્યારે તેણીએ સ્વપ્નાવસ્થામાં દેવને પણ દુર્લભ એવાં ચૌદ સ્વપ્ન જોયાં. સિંહ, હાથી, વૃષભ, લક્ષ્મી, ચંદ્ર, સૂર્ય, પુષ્પમાલા, ધ્વજ, સમુદ્ર, સરાવર, વિમાન, રત્નના ઢગલા, પૂર્ણ કલશ અને અગ્નિ એમ ચૌઢ સ્વપ્ન જોઇ તે જાગ્રત થઈ અને તરત જ ત્યાંથી નિકળીને પેાતાના સ્વામી પાસે ગઈ. વિનયપૂર્વક ભવ્ય સ્વપ્નાનુ વૃત્તાંત નિવેદ્યન કર્યું.. ત્યાર પછી બહુ બુદ્ધિશાળી તે અમરસેનાએ પેાતાના સ્વામીને પૂછ્યું. પ્રાણપ્રિય ! આ ચૌદ સ્વપ્નથી આપણુને શું ફલ થશે? રાજાએ વિચાર કર્યાં અને તે સમયે કે આ સ્વપ્ના અતિ ઉત્તમ ફલ આપનાર છે. એમ જાણી તે ખેલ્યા, સુભગે ! આ સ્વપ્નાના પ્રભાવથી ચક્રવતી પુત્ર તને થશે. આપનું વચન સત્ય થાએ, એમ કહી અમરસેના પેાતાના પતિનાં વચન અનુમાઢવા લાગી. ♦ ત્યાર પછી રત્નભૂમિ ઉત્તમ નિધિને જેમ તેણીએ ગભ ધારણ કર્યાં. જે જે દાહલાએ ઉત્પન્ન થયા તે સર્વે ભૂપતિએ પૂર્ણ કર્યાં. ગભ સમય પૂર્ણ થવાથી પૂ દિશા તેજસ્વી સૂર્યંને પ્રગટ કરે, તેમ અમરસેના પુત્રને પ્રગટ કર્યાં. તેના પિતાએ જન્માત્સવ કર્યાં, તેમાં શી નવાઇ ? કારણ કે તેના જન્મથી પ્રસન્ન થયેલા નગરના લેાકેાએ પણ મેટા ઉત્સવે કર્યાં. આ પુત્ર સલેાકોને અભય કરનાર થશે. એમ જાણી રાજાએ તેનું નામ અભયંકર પાડયું. પ્રાથમિક ખેત્તુને દૂર કરવા માટે દયા દાક્ષિણ્યાદિક સર્વ ગુણા વસંતઋતુમાં જેમ વૃક્ષે તેમ અભયકરમાં વાસ કરી રહ્યા અને બહુ જ આનઢ પામવા લાગ્યા. સવ કલાઓને ધારણ કરતા અને કુવલય-રાત્રીવિકાસી કમલ
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy