SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ચરિ તે સમયે કુમારપાલ વિગેરે જનેાથી સભા ચિકાર ભરાઈ હતી. પરમતત્વના આધ આપનાર સૂરિની દેશના સાંભળતાં સભ્યો લેાકેા પરપ્રાના આસ્વાદ લેતા હેાય ને શુ' ? તેમ આનંદમાં લીન થઈ ગયા. વળી સૂરીશ્વરના વચનરૂપ અમૃતના સિચનથી સભાસદોના શરીરે રામાંચના મિષથી પુણ્યના અંકુરાએ પ્રગટ થયા. એમાં કંઈ આશ્ચય નહીં. ૨૭૨ ખાખર વ્યાખ્યાનના રંગ જામ્યા હતા, તે સમયે પ્રથમ શિક્ષા આપેલા શિષ્ય ઉભા થઇ ત્યાં આન્યા અને સભ્ય લેાકના દેખતાં ગાંડાની માકક તેણે ગુરુનું આસન ખેંચી લીધું, છતાંપણુ દેવની માફક ગુરુમહારાજ નિરાધાર રહ્યા અને અસ્ખલિત વાણીવડે પૂર્વની માફક વ્યાખ્યાન કરવા લાગ્યા. એ પ્રમાણે ગુરુમહારાજની સ્થિતિ જોઈ કુમારપાલ વિગેરે સભ્યજને બહુ વિસ્મય પામ્યા અને ચિત્રામણની માફક ક્ષણમાત્ર સ્થિર રહી મનમાં વિચાર કરવા લાગ્યા. સર્વ કલાઓના સ્થાનભૂત દેવાધિને પ્રથમ જોયા હતા, પરંતુ તેને કેળના આસનનો પણ આધાર હતા. વળી તે મૌનધારી હતા. તેથી તેના શરીરના વાયુ જીતવામાં મુશ્કેલી આવે નહી. અને આ સૂરીદ્રતા નિરાધાર રહી વ્યાખ્યાન આપે છે, માટે આ સ્થિતિ ઘણી આશ્ચય ભરેલી છે. આ સૂરીદ્ર સિદ્ધ, બુદ્ધ, બ્રહ્મા કે, શું ઈશ્વર છે? અન્યથા એમની શકિત આવી શકિત આવી અદ્ભુત કયાંથી હોય? અમારા ગુરુમાં નિરાધાર રહેવાની કલા છે કે નહી, તે સ ંદેહને દૂર કરવા માટે આ સૂરીદ્ર પાતે આ પ્રમાણે નિરાધાર સ્થિતિની કલા ખતાવે છે. આ સૂરી'દ્રને વિષે કેવલ કલાએ દીપે છે, એટલુ' જ નહી પરંતુ પરચિત્તના અવધારણથી સ`જ્ઞપણુ પણ સ્પષ્ટ દેખાય છે. તે સમયે નિરાધાર રહી સૂરીશ્વરે દોઢપ્રહર સુધી અમૃતની વૃષ્ટિ કરતા હોય, તેમ અમૃતની નદી સમાન ધમ દેશના આપી.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy