SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ પ્રાર્થના ૨૬૧ તું ઈચ્છતો હોય તે મૂર્તિમાન પરબ્રહ્મ સમાન આ સૂરીશ્વરની સેવા કર. વળી આ સૂરીશ્વર સર્વદેવને અવતાર છે. નિષ્કપટ (શુદ્ધ) બ્રહ્મચારી છે. બાલ્યાવસ્થાથી આરંભીને ચારિત્રધારી છે. સિદ્ધાન્તના પારગામી છે. જ્ઞાનવડે કરમાં રહેલા આમળાની માફક સમ્યફપ્રકારે અન્ય જનેના મનની સ્થિતિ જાણે છે. એટલું જ નહીં પણ હાલમાં બ્રહ્મા સમાન તત્વજ્ઞાની આ મહામુનિ પૃથ્વી પર વિજયવંત વર્તે છે. ' હે ભુપાળ ! એમના કહ્યા પ્રમાણે વર્તવાથી તું પિતાનું ઇષ્ટ કાર્ય સિદ્ધ કરીશ. એ પ્રમાણે કહી શંકર સ્વપ્નદૃષ્ટની માફક અદશ્ય થઈ ગયા. ગુરુ પ્રાર્થના ત્યારબાદ પ્રસન્ન થયેલા ગૂર્જરેશ્વરે સૂરિને કહ્યું. હે ભગવન ! ખરેખર તમે જ ઈશ્વર છે, કારણ કે મહેશ્વર પણ આપના સ્વાધીન છે. વળી હે જગદ્ગુરુ ! મેં પૂર્વભવમાં પાકાં પુણ્ય કર્યા હશે કે, જેના તમારા સરખા તત્ત્વદશગુરુ વિરાજે છે. આજથી આરંભી મારા ગુરુ, પિતા, માતા, બંધુ અને મિત્ર પણ તમે એક જ છે. અન્ય કેઈ નથી. તેમજ આપે પ્રથમ મને જીવિતદાન આપવાથી આલેક આપે છે અને હવે શુદ્ધધર્મના ઉપદેશવડે પરલોક પણ આપે. ગુરુ મહારાજ બોલ્યા. જે એ તારો નિશ્ચય હેતે હાલમાં પાપની માફક માંસાદિક અભક્ષ્ય વસ્તુને તું ત્યાગ કર. પછી હું તને ધર્મોપદેશ આપું. હવેથી હું આપના કહ્યા પ્રમાણે વર્તીશ, એમ કહી બહુ આનંદ
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy