SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ર. કુમારપાળ ચરિત્ર અવ્યક્ત શબ્દ વ્યાપી ગયા. જેના સાંભળવાથી કાયર લેકે કંપવા લાગ્યા અને શુરવીરસૈનિકે આનંદ માનવા લાગ્યા. યુદ્ધનું નામ સાંભળવાથી પણ ધાઓનાં અંગ એટલાં બધાં પ્રફુલ્લ થયાં કે વિશાલ બતમાં પણ તેઓ કોઈ પ્રકારે માઈ શકયા નહીં. કેટલાક સુભટે પિતાના જીવનમાં પણ નિરપેક્ષ થઈ સમીપમાં રહેલાં બક્તરે મે પણ શરીરે પહેરતા નહોતા. વળી તે સમયે સુભટોની સ્ત્રીએ જળના ઘડા અને કરંભક વિગેરે ભાત લઈ પ્રીતિપૂર્વક પોતાના પતિની પાછળ જવા માટે તકાળ તૈયાર થઈ. ત્યારબાદ હાથીને ચલાવવાની ક્રિયામાં કુશલ શ્યામલ નામના મહાવતે તૈયાર કરેલા કલભપંચાનન નામે પટ્ટહસ્તી પર આરૂઢ થઈ શ્રીકુમારપાળરાજા યુદ્ધમાં તૈયાર થયા. આ સમયે તેમનું શરીર સમરાંગણને ઉચિત પષાકવડે દીપતું ધનુષ વિગેરે શોના સંગથી શરીરની કાંતિ બહુ પ્રકાશ આપતી હતી. મહાન, પરાક્રમી કેહણાદિક સામંતે જેની શાછળ તૈયાર થઈ નીકળ્યા. એ પ્રમાણે અર્જુનની માફક તૈયાર થઈ નીકળેલા શ્રીગૂર્જરેશ્વરવડે સમરાંગણ દીપવા લાગે. અરાજ પણ પિતાના પ્રબળ ભુજબલની પ્રભાવથી હાથીપર આરૂઢ થયો. તેની પાછળ ઘણા સૈનિકે નીકળી પડ્યા. રાજા પિતાના મનમાં જાણતા હતા કે, શત્રુ સામંતના ભેદથી મારી જીત થશે. તેથી તે દુર્યોધનની માફક ઉદ્ધત બની રણભુમિમાં નીકળ્યો. પ્રથમ રજ મંડળ, પછી વાજીના શબ્દ, ત્યારબાદ સૈનિકો એમ બંને સૈન્ય પરસ્પર એકઠાં થયાં.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy