SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ કુમારપાળ ચરિત્ર વિકસિંહરાજાએ પણ બહુ ભક્તિપૂર્વક નરેંદ્રને પરિવાર જમાડે. પછી તે લોકો પ્રાસાદની શોભા જેવાની ઈચ્છાથી ચારે બાજુએ ફરવા લાગ્યા. તે મકાનના નીચેના ભાગમાં કોલસાએ ધગધગતા હતા અને વારંવાર તેમની સુગંધીને ગ્રહણ કરતે એક વૃદ્ધ પુરુષ ત્યાં બેઠેલો તેમના જેવામાં આવ્યું. આ સુગંધ કયાંથી ? અને આ વૃદ્ધ પુરુષ શા માટે સુંઘે છે? એમ વિચાર કરતા ગુજરદ્રના માણસોએ ત્યાં ચારેતરફ બરોબર તપાસ કરી, પિતાની હોંશીયારીથી તે લેકે સમજી ગયા કે અગ્નિના કપટથી આ ઘર બનાવ્યું છે. એમ જાણી તે લોકે સંબ્રાંતની માફક એકદમ રાજાની પાસે ગયા અને સર્વ હકીકત તેઓએ નિવેદન કરી, તે સમયે વિક્રમસિંહરાજાએ પણ ફરીથી શ્રીકુમાર પાલરાજાની પાસે જઈ ભેજન માટે વેવાઈની માફક બહુ પ્રાર્થના કરી. પિતાના માણસેના કહેવાથી ગૂજરંદ્ર તે પ્રથમથી જ તેના કપટની વાત જાણતું હતું, તેમજ તેના અતિ આગ્રહ અને નેત્રાદિકની ચેષ્ટા ઉપરથી પણ તેના મનને તેને નિશ્ચય થયો, છતાં અજાણતાની જેમ ગૂર્જરે ભજનના આગ્રહથી તેને નિવૃત્ત કરીને સત્કાર પૂર્વક વિદાય કર્યો. અને પોતે પણ પોતાનું કાર્ય સાધવા ત્યાંથી ચાલતે થે. અખંડિત પ્રયાણવડે માર્ગને ઓલંઘતો રાજા સંપત્તિઓના સ્થાનભૂત વિધિના દેશમાં ગયો. ગુજરેંદ્રના રસૈનિકોએ તે દેશની પાયમાલી કરી. જેથી દેશના લેકે એકદમ ભાગાભાગ કરી આમ તેમ નાચવા લાગ્યા. મહાન પરાક્રમી ગૂર્જરેશ્વર સવાલાખ દેશીય ગાનું આક્રમણ કરતે શાકંભરીનગરી પાસે મુકામ કરી રહ્યો. અર્ણરાજને સૂચના શ્રીકુમારપાલરાજાએ પિતાના પરાક્રમને પ્રકાશ કરનાર એક કાવ્ય બેલવામાં હોંશીયાર દૂતના હાથમાં આપી તને અરાજની પાસે મેકલ્યો.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy