SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણદેવને શિક્ષા ૧૯૩ ખરેખર “નીચને મોટું સ્થાન આપવામાં આવે તે પણ તે પિતાને સ્વભાવ છેડતા નથી.” ઉચ્ચ આસને બેઠેલે કા કા કરતો કાગડે કઈ દિવસ હંસની ચેષ્ટા કરે નહીં. વળી દુર્જન અને અગ્નિ એ બંને સરખા કહેલા છે. કારણકે તે બંને જણ પિતાની ઉન્નતિ કરનારને પણ જલદી નાશ કરે છે. એ પ્રમાણે પિતાની મરજી પ્રમાણે તે બોલતું હતું, જેથી રાજાને બહુ ક્ષોભ થયે છતાં તેણે સમુદ્રની માફક પિતાને હૃદયગત ભાવ બહાર જણ નહીં. ખલપુરુષની જેમ હંમેશાં આ અધમ વિરુદ્ધવાદથી અટકો નથી. માટે જરૂર એ શિક્ષાને પાત્ર છે, એ પ્રમાણે ભૂપતિએ પોતાના મનમાં વિચાર કરી, તેને તે સમયે વિદાય કર્યો. કૃષ્ણદેવને શિક્ષા બીજે દિવસે કુમારપાળરાજા એકાંતમાં બેઠા હતા, ત્યાં સેવા માટે આવેલા કૃષ્ણદેવને પ્રથમ સંકેત કરી રાખેલા મજબુત શરીરવાળા મલેએ પકડી લીધો અને તેનાં સર્વ અંગે સંધિમાંથી ઉતારી નાખ્યાં. પછી ભૂપતિએ જીવિતની માફક તેનાં બંને નેત્ર ખેંચી લેવરાવ્યાં. જેથી વારંવાર તે બૂમ પાડવા લાગ્યા. પછી તેનાં અંગ સાજા કર્યા અને રાજાએ પોતાની બેનને ત્યાં ભેટની જેમ તેને મોકલી દીધે. રાજ્યસંપત્તિ અપાવવામાં મુખ્ય અને બનેવીના સંબંધથી પૂજ્ય એવા કૃષ્ણદેવના અંધત્વની વાત સાંભળી બીજા સર્વ સામતે સમજ્યા કે, દુધ પાઈને પુષ્ટ કરેલે સાપ, નવીન વૃતથી તૃપ્ત કરેલો અગ્નિ, સેંકડો વાર સત્કાર કરેલો દુર્જન અને પિતે સ્થાપન કરેલો રાજા પણ કઈ દિવસ પિતાને થતું નથી.” એ વાત યાદ રાખી નીતિ માર્ગમાં પ્રવીણ એવા તે સામત લેકે દેવેંદ્રને જેમ કુમારપાળરાજાને સેવવા લાગ્યા. ૧૩
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy