SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કુમારપાળ ચરિત્ર પડાવ કર્યો, તેથી કિલ્લામાં રહેલા લોકોને કઈ પ્રકારે હરક્ત થતી નથી, કારણ કે એમને નીચે આવવાનું કંઈ પ્રયજન હેતું નથી, એમ કરતાં ઘણે સમય વીતી ગયે. શત્રુરાજા ગભરાયે. હવે શું કરવું? પછી તેણે કિલ્લાનું વૃત્તાંત જાણવા માટે પિતાના આસ અને બહુ હોંશીયાર ચરપુરુષોને દુર્ગની અંદર મેકલ્યા. કિલ્લાની અંદર પ્રવેશ કરી તેમાં સ્વર્ગ કરતાં પણ અધિક અને સર્વ વ્યાપ્ત એવી તેની લક્ષમી જેઈને પિતાના હૃદયમાં વિસ્મિત થયા. શત્રુઓને ભેદવાની ઈચ્છાવડે તેઓ ચારે તરફ ફરવા લાગ્યા. ફરતા ફરતા તેઓ સુમતિ મંત્રીના મકાનમાં ગયા. તેની શોભા બહુ અદ્દભુત હતી. તે સમયે તે મંત્રીની રત્નાવતી નામે પુત્રી પિતાને પુત્ર સાથે લઈ, ગવાક્ષમાં બેઠેલા પિતાના પિતાને નમવા માટે ગઈ. પિતાને નમસ્કાર કરી ઉભી રહી અને કિલ્લાની નીચે રહેલા લશ્કરને જોતી છતી સરલ સ્વભાવને લીધે તે ગુપ્તચરોને સાંભળતાં બેલી. હે તાત ! કિલ્લાની નીચે આ વેપારીઓ શા માટે રહેલા છે ! હજુ સુધી એમને વિદાય કેમ નથી કરતા? અહીં એ લોકોને ઘણે સમય વ્યતીત થયે. હાસ્ય કરી મંત્રી બોભે હે પુત્ર! એ વેપારી નથી, પરંતુ કાન્યકુબ્ધ દેશને રાજા પિતાના લશ્કરવડે કિલ્લાને રોધ કરી પડે છે. વળી હે પુત્રિ ! તારા જન્મદિવસે આ રાજા અહીં આવેલ છે. તારૂં લગ્ન થયું અને તારે પુત્ર પણ થે, છતાં એની સ્થિતિ તેવી ને તેવી છે. તે વાત સાંભળી ચક્તિ થયેલા ચરપુરુષે તરતજ ત્યાંથી નીચે ઉતર્યા અને પિતાના સ્વામી પાસે આવી મંત્રી અને તેની પુત્રીની વાત નિવેદન કરી. આ સાંભળતાં જ શંભલીશરાજાના હૃદયમાં હર્ષ, આશ્ચર્ય અને
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy