SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કુમારપાળ ચરિત્ર જેઓ બંધુઓના ઘાત કરી લક્ષ્મીને સ્થિર કરવાની ઇચ્છા કરે છે, તે મૂઢ પુરુષો ખળતા દાવાગ્નિના યાગથી વેલીને પ્રફુલ્લિત કરવા ધારે છે. દરિદ્રતા, ભિક્ષા અને પ્રાણના ત્યાગ થાય તે પણ સારૂં, પરંતુ પેાતાના વશજોના ઘાતથી ઊત્પન્ન થયેલા પાતકવાળી લક્ષ્મી સારી નહીં. જે રાજ્યથી ગગનાંગણથી જેમ અવશ્ય ધેાપતન થાય છે. જે રાજયને વિષે યુદ્ધભૂમિની માફક ડગલે ડગલે મહાન લેશ રહ્યો છે. સ્ત્રીના મનની માફક જે રાજ્ય સ્થિર રહેતુ નથી, છતાં પણ રાજાએ પાતાના કુળના નાશ કરીને પણ તે રાજ્ય ભોગવવાની ઇચ્છા કરે છે. કેટલાક પુરુષા કંઈક કારણને લીધે શત્રુતા કરે છે, પરંતુ દુરાશય આ સિદ્ધરાજ તા ધ્રુવની માફક વિના કારણે વૈરી થયેા છે. મહા દ્વેષી આ રાજા જયાં સુધી મને ન મારે, તેટલામાં કોઇ પણ સ્થળે પરિવારને મૂકીને હું મારા આત્માનું રક્ષણ કરૂ તેા ઠીક. એમ વિચાર કરી કુમારપાળ ગુખ્ત વિચાર માટે પેાતાના અનેવી કૃષ્ણદેવની પાસે ગયે. પેાતાના અભિપ્રાય જણાવ્યેા. હવે મારે શુ કરવુ ? એમ પૂછવાથી મહાબુદ્ધિશાળી કૃષ્ણદેવ મેલ્યા. મસ્તકપર વક્ર– વાંકા=વિપરીત ચંદ્ર – દૈવના રહેવાથી શ'કરે પણ ભિક્ષાનથી ગુજરાન ચલાવ્યું તેા અન્યની શી વાત ? જ્યાં સુધી ધ્રુવની અનુકૂળતા છે, ત્યાં સુધી પેાતાના પરિવાર દધિસ્થલીમાં મૂકીને હું ધીમાન ! તું દેશાંતરમાં કાળક્ષેપ કર સૂર્ય પણ રાત્રિએ નિસ્તેજ થાય છે, ત્યારે દેશાંતરમાં જાય છે, ફરીથી તેજસ્વી થઈ પ્રભાતમાં પેાતાના સ્થાનમાં આવે છે, અહીં'ની રાજવ્યવસ્થા હું તને ચરપુરુષાવડે જણાવીશ. અન્ય વેષ
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy