SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી ત્યાગ ૧૨૯ પણ મૂછ પામે છે અને મૃત્યુને સાંભળીને પણ મૂચ્છિત થાય છે, એ મોટું આશ્ચર્ય છે. અથવા મૃત્યુના બને અક્ષર ખરેખર સર્વ દુઃખમય છે, અન્યથા એના શ્રવણથી લેકે દુઃખી થવા ન જોઈએ. મંત્રીત્યાગ હવે અજાપુત્રની તપાસ માટે ચંદ્રાપીડરાજાએ ચારે દિશાઓમાં બંધુ સમાન બહુ વિશ્વાસી પિતાના ચરપુરુષોને મોકલ્યા. પરંતુ તે વૃતાંત જાણીને દેવમાયાથી મેહિત થયા હોય તેમ કેટલાક ચરપુરુષો પાછા આવ્યા નહીં, તેથી રાજા સ્વસ્થ થયે. અને હંમેશાં તેની શોધ કરાવતાં રાજાનું ધીમે ધીમે આયુષની જેમ પખવાડીયું પુરૂં થવા આવ્યું. તે અરસામાં કઈક અપરાધને લીધે ક્રોધાતુર થયેલા ચંદ્રાપીડ રાજાએ સુબુદ્ધિ નામે પિતાના મંત્રીને પિતાના નગરમાંથી કાઢી મૂકે. ક્રોધાંધ થયેલા તે રાજાએ નગરમાંથી મંત્રીને દૂર કર્યું એમ નહીં પણ ખરેખર પિતાના શરીરમાંથી બુદ્ધિનો ત્યાગ કર્યો. આ પ્રમાણે રાજાના અપમાનથી મંત્રીના મનમાં બહુ કોઈ થયો અને તેણે નિશ્ચય કર્યો કે, ગમે તે ઉપાય કરી એનું વેર વાળવું. એવા વિચારથી આમતેમ ફરતે ફરતે જ્યાં અજાપુત્રનું રીન્ય હતું, ત્યાં તે ગયે. અનેક હાથી, ઘેડા, પાયદળ અને સ્થાદિકના સમૂહથી વ્યાકુલ રીન્યને જોઈ એકત્ર થયેલું જગત હેયને શું? તેમ તે મંત્રીના માનવામાં આવ્યું. આ રીન્ય ચંદ્રાપીડરાજાને જીતવા જાય છે, એમ જાણ મંત્રીને નિશ્ચય થયો કે, દેવીનું વચન સત્ય છે. તેથી પિતાનું કાર્ય સિદ્ધ થશે. - એમ સમજીને બુદ્ધિમાન મંત્રી અજા પુત્રની પાસે ગયે. અને પિતાનું વૃત્તાંત નિવેદન કર્યું. અજાપુત્રે વિધિને પણ બહુ સત્કાર કર્યો, જેથી તેણે પિતાના વિધિના મરણને ઉપાય બતાવ્યું.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy