SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કુમારપાળ ચરિત્ર અજાપુત્ર બલ્ય, તું શત્રુઓથી ગભરાઈશ નહીં. સિંહની આગળ જેમ મૃગલાઓ તેમ એ રંક પુરુષે મારી આગળ શા હીસાબમાં છે? પરંતુ જ્યાં સુધી હું જાઉં, ત્યાં સુધી એક લેખ લખીને આ શુકની સાથે ત્યાં મેકલા, જેથી મંત્રીના હૃદયમાં શાંતિ થાય. એમ કહી શુકને બોલાવીને અજાપુત્રે મૃદુ વચનથી કહ્યું. તું જે? વિમલવાહન આ પિતે જ મહાસેનને પુત્ર છે, જે તું એની માતાના નેહથી અનૃણપણું ઈચ્છતો હોય, તે એના ઉપકાર માટે મંત્રીને આ લેખ આપી આવ. એ પ્રમાણે અજાપુત્રની પ્રાર્થના કબુલ કરી શકે તેણે એપેલે લેખ લઈ દેવની માફક ત્યાં જઈને બુદ્ધિબલમંત્રીને તે લેખ આપે. “જેને તેને પણ કરેલે ઉપકાર ફલદાયક થાય છે.” જુએ? તે શુકે કેવા સમયમાં કેવી રીતે પત્ર પહોંચાડે માત્ર જેવાથી હૃદયને આનંદ આપનાર તે લેખને મિત્ર સમાન અંગીકાર કર્યો. ત્યાર પછી મંત્રીએ બહુ પ્રેમથી વાંચવા માંડે. “સ્વસ્તિ શ્રીમમહાસેનરાજાને પુત્ર વિમલવાહન બાહુના આલિંગન સાથે મળીને નિવેદન કરે છે કે, અહિંયાં કુશલ છે. તમારી તરફના સર્વ સમાચાર પિતાના સેવકના સમાન આ શુકના કહેવાથી મેં જાણ્યા છે. હવે તમારે કંઈ ચિંતા કરવી નહીં, જે થવાનું હતું, તે થઈ ગયું .. હું જલદી આવું છું, ત્યાં સુધી પિતાના નગરની બરોબર સાવચેતી રાખવી. એ પ્રમાણે લેખ વાંચવાથી રાજકુમારનું આગમન જાણી મંત્રી સ્વામી સહિત હોય તેમ પ્રમુદિત થયે. હે શુક! આ સમયે તે જે મારે ઉપકાર કર્યો, તેટલો મા. બંધુએ પણ નથી કર્યો. એ પ્રમાણે મંત્રીએ શુકને ઘણો આભાર માન્ય.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy