SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ નરકેસ્વરૂપ ૧૦૧ કેટલાકને સાક્ષાત અગ્નિની ધગધગતી પુતલીઓ સાથે વારંવાર આલિંગન કરાવે છે, કેટલાકને વજ કંટકની શય્યાઓમાં બલાત્કારે સુવાડે છે. કેટલાકને ઉંચા મુખ અને નીચા પગે પશુની માફક રંગાવે છે. પછી નીચે અગ્નિ સળગાવી તેમને શેકીને દરેકનાં અંગોપાંગ છેદે છે. કેટલાકને પાપડના પીઠાની માફક સુષ્ટિના આઘાતથી કુટે છે. કેટલાકને તીક્ષ્ણઅથવાળાં કરવાથી કાષ્ટની માફક ફાડી નાંખે છે. લોઢાના લકુટેવડે જીર્ણ પાત્રની માફક કેટલાકને ફેડી નાંખે છે. મોટા પાષાણું ઉપર બી વસ્ત્રને જેમ રામ કેટલાકને પછાડે છે. આ પ્રાણી મારા પૂર્વ જન્મનો વેરી છે, એવા વિચારથી બહુ ક્રોધ વડે પરસ્પર સેંકડો શસ્ત્રના પ્રહારથી કેટલાકને બહુ પીડે છે. બહુ વ્યથાને લીધે પવનથી ઉછાળેલા પત્રની માફક પચ્ચીશ જન ઉંચે જઈને પુનઃ તેઓ નીચે પડે છે. એવી રીતે સાતે નરક ભૂમિકાઓમાં શસ્ત્ર વિના પણ ક્ષેત્રથી ઉત્પન થયેલી પીડાઓ પરસ્પર ભેગવે છે; પાંચ ભૂમિકાઓમાં શસ્ત્ર જન્ય અને ત્રણમાં દેવતાઓએ કરેલી પીડા હોય છે. તેમજ ક્ષુધા-તૃષા વિગેરે બીજી દશ પ્રકારની મહાવ્યથાઓને સહન કરે છે, ત્યાં નિમેષા પણ સુખ હેતું નથી. દશ પ્રકારની વ્યથા-નૈરચાનું વિર્દ વેચM vજુમમાળા विहरति तद्यथा-सीय १ उसिण २ खुह ३ पिवासं ४ कंडु ५ परम्भ ६ भयं ७ सोग ८ जर' ९ वाहिं १० ।" શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખર્જન, પરતંત્રતા, ભય, શોક, જરા અને જવરકુષ્ટ વિગેરે વ્યાધિઓ ભેગવવી પડે છે. તેમજ શ્યામ અંગવાળા, નિંદવાને લાયક, છિન્ન ભિન્ન અંગવાળા અને આંતરડાં બહાર નીકળવાથી ભયંકર એવા નારકી જાને જોઈ અજાપુત્ર અજાયબ થઈ ગયે. તેમનું દુઃખ જેવાથી સાક્ષાત અનુભવથી જેમ અજાપુત્ર એકદમ મૂછિત થઈ મૃતકની માફક પૃથ્વી પર પડી ગયે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy