SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ G૭ અજા પુત્ર વિચાર આ બિચારે શું કરવાનું છે? એમ તેને તૃણ સમાન ગણી પિતે વિચાર કરવા લાગ્યા. તે દેવીએ જે વચન મારી આગળ કહ્યું, તે અગ્ય છે. કારણ કે તેજસ્વી સિંહની આગળ બકરાને શે હિસાબ છે? કદાચિત પાંગળો માણસ જે મેરૂ પર્વત પર ચઢે તેમજ હાથ વિનાને ઠુંઠે માણસ સમુદ્ર તરી સામી પાર જઈ શકે તો આ બાળક મને મારવાને શક્તિમાન થાય. એમ ગર્વના શિખરે ચઢેલે તે રાજા મૌન રહ્યો. ત્યારે તેને સુમતિ નામે મંત્રીશ્વરે કહ્યું. હે સ્વામિ ! નાના પણ શત્રુની ઉપેક્ષા કરવી તે ઠીક નહીં, કારણ કે વ્યાધિ અને શત્રુ એ બંને એક સરખા કહ્યા છે, તેમની ઉપેક્ષા કરવાથી મેટા સ્વરૂપમાં તેઓ આવી જાય છે, ત્યારે બુદ્ધિશાળી પુરુષે પણ તેમને ઉથાપી શકતા નથી. માટે આપના પર દયા લાવી કેઈક આ દેવીએ આપના હિતની વાત કહી છે. જો કે પાષાણ લેખ અસ્થિર થઈ શકે પણ દિવ્યવાણી કઈ સમયે મિથ્યા થાય નહીં. પ્રાયે આ શત્રુ બાલ્યાવસ્થાને લીધે કઈપણ અપકાર કરી શકે તેમ નથી. તે પણ એને આપના દેશમાંથી ચારની માફક કોઈપણ સ્થાને વિદાય કરે તે ઠીક છે. એ પ્રમાણે પિતાના મંત્રીને વિચાર એગ્ય માની રાજાએ કઈ પણ જંગલમાં તેજ વખતે પિતાના આપ્ત પુરુષ મારફત અજાપુત્રને વિદાય કરાવ્યું. અજાપુત્ર વિચાર માતા પિતાથી વિમુક્ત થયેલ ભયંકર વનમાં પડેલે આ બાલક એકાકી છતાં પણ વિદ્વાનની માફક પિતાના મનમાં વિચાર કરવા લાગે. ' અરે ! મારે કઈપણ પ્રકારને અપરાધ નથી, છતાં આ રાજાએ મને અધમ અપરાધીની માફક શા માટે દેશપાર કર્યો?
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy