SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ६७ ધર્મદેશના અને દેવતા જેમ ઇંદ્રને તેમ અભયંકર રાજાને નમનપૂર્વક બહુ સત્કાર કર્યો. એ પ્રમાણે અનેક રાજાઓ તરફથી આવેલી ભેટની સમૃદ્ધિ વડે તેને વૈભવ નદીઓના પાણીથી સમુદ્રનું જલ જેમ બહુ વૃદ્ધિ પામે. એક દિવસ આયુધશાળાના અધિકારીએ રાજાની પાસે ચક્રવતીને લાયક એવા ચક્રરત્નની વધામણું કહી. રાજાએ બહુ હર્ષથી તેને સત્કાર કર્યો અને તે તરત જ શસશાળામાં ગયે. સૂર્યમંડલની શેભાને તિરસ્કાર કરતું ચક્રરત્ન તેના જોવામાં આવ્યું. ચંદનાદિક પૂજાના સામગ્રીવડે ચક્રની પૂજા કરી અષ્ટાબ્લિક મહત્સવ પણ કર્યો, કારણ કે “મહાન પુરુષે પૂજયને પૂજવામાં સાવધાન હોય છે.” વળી તે અભયંકરરાજાને ત્યાં બીજા પણ સેનાની-સેનાપતિ વગેરે કેટલાંક રત્ન પ્રગટ થયાં. અહો ! “મહાન પૂણ્યશાલીજનેને આ દુનિયામાં કોઈપણ વસ્તુ દુર્લભ નથી” ત્યારબાદ અભયંકર ચક્રવતી ચક્રવડે થિર એવા પર્વતને પણ ચલાયમાન કરતે સર્વ દિશાઓને જીતવા માટે ચક્રરત્નની પાછળ ચાલ્યો. પૃથ્વીને આક્રમણ કરતા ચક્રવતીના સૈન્યરૂપી સમુદ્રની અંદર મેટા પર્વતે પણ ડુબી ગયા તે અન્ય લેકેની શી ગણતરી ? તેના તેજથી સર્વ શત્રુઓ પિતાની મેળે જ દબાઈ ગયા અને કૌશિક-ઘુવડ સૂર્યને જેમ કેઈ પણ શત્રુ તેના સન્મુખ આવી શકતો નથી.. છખંડ પૃથ્વીમાં વિજય મેળવીને નવનિધ પિતાને તાબે કર્યા. પછી તે ચકી પિતાના સૈન્ય સાથે નિવૃત્ત થઈ પિતાના નગરમાં આવે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy