SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૧૨૭-૧૨૮ अनार्जवं संयमधूमकेतुविशुद्धिहेतुर्बुवमार्जवं तु ।।१२७।। શ્લોકાર્ચ - અનાર્થવ દુષ્કૃતની જન્મભૂમિ છે. આનો અનાજીવનો, વિપર્યય, દુષ્કૃતની અજન્મભૂમિ છે. અનાર્જ સંયમમાં ધૂમકેતુ છે, વળી આર્જવ નિશ્ચિત વિશુદ્ધિનો હેતુ છે. આર્જવ અને અનાર્જવનું પારમાર્થિક સ્વરૂપ બતાવતાં કહે છે જે જીવમાં આર્જવ પરિણામ વર્તે છે તે જીવોમાં દુષ્કત ઉત્પન્ન થતું નથી; કેમ કે સરળ સ્વભાવવાળા જીવો પ્રાયઃ દુષ્કૃત કરે નહીં, ક્વચિત્ દુષ્કૃત થયું હોય તો સરળ સ્વભાવના કારણે પશ્ચાત્તાપથી તેનું નિવર્તન કરે છે. વળી, જેમાં આર્જવ સ્વભાવ નથી તેઓમાં અસરળ સ્વભાવને કારણે સર્વ પ્રકારનાં દુષ્કતો ઉત્પન્ન થાય છે આથી જ તપાદિ કરીને પણ અસરળ સ્વભાવને કારણે પાપબંધને જ કરે છે. વળી, જેમ ધૂમકેતુ તારો દેખાય ત્યારે મહા ઉપદ્રવ થાય છે તેમ સંયમી મહાત્મામાં પ્રગટ થયેલો અનાર્જવનો ભાવ મહા ઉપદ્રવનું કારણ બને છે અને કોઈક રીતે જીવથી પાપ થયેલાં હોય તોપણ આર્જવનો પરિણામ તે પાપની વિશુદ્ધિનો હેતુ છે. I૧૨૭ શ્લોક : किं भोगदावानललब्धदाहैः, किंवा कृतज्ञानसुधावगाहैः । भाव्यं मनुष्यैरिह यद्धितं वो, કૃશ મનä ગુસ્વમાવા: પારદા શ્લોકાર્ચ - ભોગરૂપી દાવાનલથી પ્રાપ્ત થયેલા દાહ વડે મનુષ્યોએ શું થવું જોઈએ અથવા કરાયેલા જ્ઞાનરૂપી અમૃતના અવગાહનાથી મનુષ્યોએ શું થવું જોઈએ, અહીં-આ બંને વિકલ્પોમાં, જે તમારું અત્યંત હિત છે, તેને=હિતને હે ઋજુ સ્વભાવવાળા જીવો ! તમે ભજો.
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy